ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની તકલીફ વધી શકે તેવું લાગે છે અને તેને એક મૅચ માટે બૅન કરી શકે તેવી સંભાવનાઓ છે.
વિરાટ કોહલીની આ ભૂલ પડી શકે ભારે
ચેન્નઇમાં રમાનારી મૅચમાં બની હતી આ ઘટના
વિકેટની અપીલ પર એમ્પાયર સાથે તૂતૂ-મેમે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્ગલેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં એમ્પાયર નીતિન મેનન સાથે ઝઘડી પડ્યા હતા. ચેન્નઇના સ્ટેડીયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અક્ષર પટેલે ફેંકેલા બોલથી જો રૂટને જીવનદાન મળ્યુ હતુ.
અક્ષર પટેલે ફેંકેલા તે બોલ પર જોરદાર અપીલ થઇ અને એમ્પાયરે નોટઆઉટ નિર્ણય આપ્યો હતો. જે બાદ વિરાટે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. બોલ વિકેટ લાગી રહી હતી પરંતુ એમ્પાયર્સે રૂટને નોટઆઉટ ગણાવ્યો હતો.
એમ્પાયર સાથે તૂતૂ-મેમે
આ ઘટના બાદ વિરાટ કોહલી નારાજ થઇ ગયા હતા અને થર્ડ એમ્પાયરનો નિર્ણય આવ્યા બાદ વિરાટ ઓનફીલ્ડ એમ્પાયર મેનન પાસે પહોંચી ગયા અને બંને વચ્ચે તૂતૂમેમે થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. વિરાટો કોહલીનું આ પગલુ તેને મોંઘુ પડી શકે છે. icc કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.8 હેઠળ એમ્પાયરના નિર્ણય પર નારાજગી બતાવવી અને જીભાજોડી કરવી લેવલ એક કે બેના ચાર્જ લાગી શકે છે.
કોહલી પર લાગી શકે છે એક મૅચનો બૅન
આ માટે ખેલાડીમાં એકથી ચાર ડિમેરિટ પોઇન્ટ જોડાઇ શકે છે. 24મહિનાની અંદર જો કોઇ ખેલાડીના ખાતામાં ચાર ડિમેરીટ પોઇન્ટ જોડાઇ જશે. તો તેમને એક ટેસ્ટ અથવા બે વન ડે બે ટી-20 મૅચ માટે બૅન થઇ શકે છે.
વિરાટના ખાતામાં પહેલાથી જ બે ડિમેરીટ પોઇન્ટ છે અને જો તેમના માટે બે ડિમેરીટ પોઇન્ટ મળે છે તો તેમે એક ટેસ્ટ મૅચ માટે સસપેન્ટ કરવામાં આવશે. જો આવુ થયુ તો વિરાટ અમદાવાદમાં રમાનારી વન ડે નાઇટ ટેસ્ટથી બહાર થઇ શકે છે. જો કે હજુ સુધી વિરાટ કોહલીને કોઇ સજા સંભળાવવામાં આવી નથી.