ન્યૂઝીલેન્ડના હાથે બે મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી શરમજનક હારનો સામનો કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલી રોષે ભરાયો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ વિરાટ કોહલીને સવાલ કર્યો કે, શું તેને એવું નથી લાગતું કે મેદાન પર તેની આક્રમકતા પર લગામ લગાવવાની જરૂર છે. આના પર વિરાટ કોહલી ભડકી ઉઠે છે.
ન્યૂઝીલેન્ડના હાથે બે મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી શરમજનક હાર મળી
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલથી ભડક્યો કોહલી
કોહલીએ આપ્યો આવો જવાબ
આ ઘટના રવિવારની છે જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન કિવિના કેપ્ટન કેન વિલિયમસન અને ઓપનર ટોમ લાથમને આઉટ કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ આક્રમકતા સાથે ઉજવણી કરી હતી. આ દરમિયાન કોહલીએ દર્શકો તરફ જોઈને પણ કંઈક કહ્યું હતું. ભારતની સાત વિકેટના પરાજય પછી એક સ્થાનિક પત્રકારે વિલિયમસન વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવા અંગે કોહલીની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો ભારતીય કેપ્ટનને આ વાત પસંદ ના આવી.
કોહલીના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઇ શકાય છે અને તેણે પત્રકારને પૂછ્યું, 'તમે શું વિચારો છો? હું તમારો જવાબ માંગું છું. કોહલીએ કહ્યું, તમારે જવાબ શોધવાની જરૂર છે અને વધુ સારાં પ્રશ્નો સાથે આવજો. જે બન્યું તેના વિશે અધૂરી માહિતી અને સવાલો સાથે તમે આ રીતે આવી ન શકો. જો તમારે વિવાદ ઊભો કરવો હોય તો આ યોગ્ય જગ્યા નથી. મેં મેચ રેફરી સાથે વાત કરી હતી અને જે બન્યું તેમાં તેમને કોઈ સમસ્યા નથી.
ICC Will Gift Another Spirit Of The Cricket Award To Virat Kohli For His Gentle & Polite Send Off To Kane Williamson.
Absolute Pathetic!#NZvIND 🏏 pic.twitter.com/wlNR8EHgCe
કોહલીએ કહ્યું કે, મેચ રેફરી રંજન મદુગલેને જે બન્યું તેનાથી કોઈ સમસ્યા નહોતી. કોહલી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન તે ફક્ત એક જ વાર 50નો આંકડો પાર કરી શક્યો. કોહલી ટેસ્ટ સીરિઝમાં 20 રન પણ બનાવી શક્યો નહીં. જ્યારે વિલિયમસનને કોહલીની ઉજવણી વિશે પૂછવામાં આવ્યું તો તે હસીને ટાળી દીધું. તેણે કહ્યું, 'વિરાટ આવો જ છે અને તે મેદાન પર ઝનૂની છે. મને નથી લાગતું કે આ વિશે વધુ વિચારવાની જરૂર છે.
હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ હાર માટે ન તો શરમ છે અને ન કોઈ બહાનું. તેણે કહ્યું કે, એક સારી ટીમની સામે હારવામાં શરમની કોઈ વાત નથી. 'કરો યા મરો'ની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 242 રન બનાવી શકી હતી, પરંતુ ટીમે ન્યૂઝીલેન્ડને 235 રનમાં રોકી દીધી હતી. જોકે બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટિંગનો ક્રમ ફક્ત 124 રન પર જ તૂટી પડ્યો, જેનાથી ન્યૂઝીલેન્ડને 132 રનનો લક્ષ્યાંક મળ્યો, જેણે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
કોહલીએ કહ્યું કે, 'બેટ્સમેન એટલા સ્કોર નહોતા કરી શક્યા કે બોલરો પ્રયત્ન અને હુમલો કરતા. બોલિંગ સારી હતી, મને લાગે છે કે અમે વેલિંગ્ટનમાં પણ સારી બોલિંગ કરી હતી. એવોર્ડ સેરેમની દરમિયાન કોહલીએ કહ્યું કે, તેની ટીમે તેની વ્યૂહરચના પર વિચાર કરવો પડશે. તેણે કહ્યું, 'નિરાશાજનક ... બેસીને વિચારવું પડશે અને બધું ઠીક કરવું પડશે.'
વિરાટને ટોસ હારવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ટોસ...તમે વિચારી પણ નહીં શકો તો આ એક મહત્વનો મુદ્દો છે, પરંતુ અમે ફરિયાદ નહીં કરીએ. તેનાથી પ્રત્યેક ટેસ્ટમાં બોલરોને વધું ફાયદો મળ્યો, પરંતુ એક આંતરરાષ્ટ્રીય ટીમ તરીકે આશા કરવામાં આવે છે કે તમે આ વાત સમજી શકો છો. બેટ્સમેન તરીકે વિરાટનો બેટ ચૂપ હતો, તે બંને ટેસ્ટમાં બેટ સાથે કંઈ કરી શક્યો નહીં અને 2, 19, 3 અને 14 રનની ઇનિંગ્સ રમી હતી.