ન્યૂઝીલેન્ડ સામે મૅચ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી મોહમ્મદ શમીને લઇને જે વિવાદ થઇ રહ્યો છે તેને લઇને કેપ્ટને જોરદાર નિવેદન આપ્યું હતું
શમીને ટ્રોલ કરનારાં સવાલ પર ભડક્યો કોહલી
ધર્મના નામે કોઇને હેરાન કરવું બહુ ખરાબ
હાર્દિક પંડ્યાની ફિટનેસને લઇને પણ કરી વાત
ટ્રોલિંગને લઇને ભડક્યો વિરાટ
ટી 20 વર્લ્ડ કપની પહેલી મૅચ હારી જતાં લોકોએ શમીને ટાર્ગેટ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કોહલીને આ વાત પૂછવામાં આવી તો તે જબરો ભડક્યો અને કહ્યું કે, અમારું ધ્યાન આ બધા ડ્રામા પર નથી અમારું ધ્યાન સંપૂર્ણ રીતે મૅચ પર છે.
કેપ્ટને કહ્યું કે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો પોતાની ઓળખાણ છૂપાવીને આ પ્રકારની હરકત કરે છે. તે આજના સમયમાં રેગ્યુલર થઇ ગઇ છે અને આ તેમના જીવનનું સૌથી નીચુ સ્તર છે. જ્યારે તે કોઇને પણ હેરાન કરે છે ત્યારે તે બહુ ખરાબ હોય છે. અમે પોતાના ડ્રેસિંગ રૂમનો માહોલ સારો રાખીએ છીએ અને પોતાના ખેલાડીઓને હિંમત આપીએ છીએ. બહાર જે પણ ડ્રામા થયો છે તે તેમની ભૂલ બતાવે છે.
ધર્મનો વચ્ચે ન લાવવો જોઇએ
કોહલીએ કહ્યું કે મેં ક્યારેય કોઇની સાથે ભેદભાવ નથી કર્યો આ કામ કેટલાક લોકોનું છે. જો કોઇને શમીની ગેમમાં પેશન નથી જોવા મળી રહ્યું તો હું મારો સમય નહી વેડફુ. ધર્મના નામે કોઇને પણ નિશાના પર લેવો સૌથી ખરાબ વાત છે.
હાર્દિકની ફિટનેસ પર વાત
વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં પંડ્યાની ફિટનેસને લઇને પણ વાત કરી. તેણે કહ્યું કે હવે હાર્દિક સંપૂર્ણ રીતે ફીટ છે અને અમારે જો છઠ્ઠા બોલરની જરૂર પડશે તો હાર્દિકને કહીશું.
તમને જણાવી દઇએ કે જ્યારે ભારતની પાકિસ્તાન સામે હાર થઇ હતી ત્યારે મોહમ્મદ શમીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેના ધર્મને લઇને લોકોએ તેને ખરી ખોટી સંભળાવી હતી. શમીના સપોર્ટમાં વિરેન્દ્ર સહેવાગથી લઇને મોટા મોટા ક્રિકેટર આવ્યા હતા. ઇરફાન પઠાણે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે પાકિસ્તાન વિરુદ્ધ પહેલા પણ હાર્યા છીએ પરંતુ મને ક્યારેય કોઇએ પાકિસ્તાન જવા માટે નથી કહ્યું.