ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કર્યા બાદ ચીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન વિરાટ કોહલીના જોરદાર વખાણ કર્યા છે. મેચ જીત્યા બાદ રવિ શાસ્ત્રીએ કહ્યું કે વિરાટ કોહલીનું જુનૂન એકદમ અલગ છે. સાથે રમતને લઇને એની સમજ સચિન તેંડુલકર જેવી જ છે. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં બંને ઇનિંન્ગમાં મળીને 200 રન બનાવ્યા. આ સાથે જ છેલ્લી બે મેચમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયા ત્રીજી મેચમાં મેજબાનને હાર આપવામાં સફળ રહી.
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિરાટ કોહલીમાં રમતને લઇને ખૂબ જ જુનૂન છે ખાસ કરીને બેટિંગ કરવી ખૂબ જ પસંદ છે. સાથે જોરદાર મહેનત પણ પસંદ છે. ક્રિકેટ પ્રત્યે વિરાટ કોહલીને સમર્પિત વિરાટ કોહલી જેવો કોઇ ખેલાડી જોયો નથી. સ્થિતિઓ પ્રમાણે આ શ્રેણીમાં સચિન તેંડુલકરને રાખું છું કારણ કે ગ્રાઉન્ડ પર એ જે રીતે પ્લાનિંગ કરતો હતો અને સ્થિતિને સમજે છે એ કોઇ પણ વ્યક્તિમાં સૌથી સારા ગુણ છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ નોર્ટિધમમાં રમવામાં આવેલી ત્રીજી ટેસ્ટમેચમાં ભારતે મેજબાનને 203 રનોથી માત આપીને સીરિઝની પહેલી જીત મેળવી હતી. ભારતીય ખેલાડીઓ માટે આ હરિફાઇ ખૂબ મહત્વની હતી કારણ કે ટીમ ઇન્ડિયા પહેલી બે મેચ હારી ગઇ છે. એવામાં ત્રીજામાં કોઇ પણ સંજોગે જીત જોઇતી હતી અને મળી પણ.