ઇંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસનું માનવું છે કે પીઠની ઇજામાંથી પસાર થઇ રહેલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બંને દેશોની વચ્ચે થનારી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં વધારે ખતરનાક હશે.
કોહલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ફિલ્ડીંગ માટે મેદાનમાં ઊતર્યો નહતો. જો કે એને બીજી ઇનિંન્ગમાં અસ્વસ્થ હોવા છતાં પણ બેટિંગ કરી.
બેલિસે કહ્યું કે એ કોહલીની ફિટનેસને લઇને ચિંતિત નથી. એમને કહ્યું 'એનો એવો અર્થ હોઇ શકે છે કે એ વધારે ખતરનાક ખેલાડી હશે. પહેલા પણ આવા ઘણા ખેલાડી હતા જે ઇજાગ્રસ્ત હોવા છતાં રમતા રહ્યા છે. એ રન બનાવવાની સાથે વિકેટ પણ લઇ રહ્યા હતા.'
એમને કહ્યું 'મને ખબર નથી કે એવી સ્થિતિમાં વધારે ધ્યાન રાખીને રમશે. પરંતુ મે એમને સ્લિપમાં કોઇ સમસ્યા વગર કેટલાક કેચ લેતા જોયો છે. હું આશ્વત છું કે એ રમશે.'
બેલિસે આશા વ્યક્ત કરી છે કે ટ્રેંટ બ્રિઝમાં પરિસ્થિતિઓ લોર્ડ્સ જેવી જ હશે.