કોહલીએ કહ્યું, ભારતને આવતા વર્ષે રમાનારી ટી-20 વર્લ્ડકપ પહેલા આશરે 30 ટી-20 મેચ રમવાની છે અને હું ઇચ્છું છું કે જે પણ ખેલાડી ટીમમાં આવી રહ્યા છે, એમને પોતાની એક અલગ છાપ છોડવી જોઇએ.
કોહલીએ કહ્યું- ટી-20 વર્લ્ડકપ પહેલા ખેલાડીઓને મળી રહી છે વધારે તક
ભારતને 2020 ટી-20 વર્લ્ડકપ પહેલા રમવાની છે આશરે 3જ0 ટી-20 મેચ
કોહલીએ કહ્યું- ટી-20 વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ બંને અમારા ધ્યાનમાં
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આવતા વર્ષે થનારી ટી-20 વર્લ્ડકપ પહેલા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી રહી છે. કારણ કે એ ખુજને સાબિત કરી શકે. કોહલીએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ વર્લ્ડકપ પહેલા એક સંતુલિત ટીમ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
કોહલીએ કહ્યું, 'ભારતને આવતા વર્ષે રમાનારી ટી-20 વર્લ્ડકપ પહેલા આશરે 30 ટી-20 મેચ રમવાની છે અને હું ઇચ્છું છું કે જે પણ ખેલાડી ટીમમાં આવી રહ્યા છે, એમને પોતાની એક અલગ છાપ છોડવી જોઇએ.'
કોહલીએ બીસીસીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું,
'અમે એને લઇને ખૂબ જ સ્પષ્ટ છીએ. આ એવું નથી કે કોઇને 30 તક મળશે. હું ટીમમાં આવ્યો હતો તો મે પણ નહતું વિચાર્યું કે મને 15-20 મેચ રમવાની તક મળશે.'
કોહલીએ કહ્યું, 'મને ખબર હતી કે ત્રણ થી પાંચ તક મળશે અને મારે એમાં જ મારી જાતને સાબિત કરવાનો હશે. કોઇને જો પાંચ તક મળે છે તો એને ખુદને સાબિત કરવો પડશે અને અમે આ સ્તરની જ ક્રિકેટ રમી રહ્યા છીએ.'
ટી-20 વર્લ્ડકપ માટે ટીમના રોડમેપ માટે પૂછવા પર કોહલીએ કહ્યું, 'અમારું માનવું છે કે ટી-20 વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ, બંને અમારા ધ્યાનમાં છે કારણ કે બંને જ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.'
કોહલીએ કહ્યું, 'સમય-સમય પર યુવાઓને એટલા માટે તક આપવામાં આવી રહી છે કારણ કે સાચી ટીમ સંયોજનની પસંદગી કરી શકાય, અમારે એ ખેલાડીઓને શોધવા પડશે જે ટીમને આગળ લઇને જઇ શકે. '