ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રદ્દ થવાને કારણે ભારતીય ફેન્સની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ નિરાશ છે.
જી હા, કેપ્ટન કોહલીએ આ અંગે વાત કરી અને સાથે જ શિખર ધવનનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યુ કે, તેના પર નજર રાખવામાં આવી રહી છે. કોહલીએ આશા વ્યકત કરી તે સેમિફાઇનલ પહેલા તે સ્વસ્થ થઇ જશે. ણાવી દઈએ કે, ગુરુવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદ કારણે ધોવાઇ ગઇ, આના કારણે બંને ટીમોને 1-1 પૉઇન્ટ મળ્યા.
મેચ પછી કેપ્ટન કોહલીએ કહ્યુ કે, ઇજાગ્રસ્ત ધવન પર નજર રાખવામાં આવી રહી છે અને થોડા દિવસો સુધી તેના અંગૂઠા પર પ્લાસ્ટર રહેશે. ધવનના અંગૂઠાના ઇજા છે અને તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમના તેના વિકલ્પ અંગે એટલા માટે એલાન કરવામાં આવ્યુ નથી કારણ કે ટીમમાં તેના કમબેકની આશા છે, કેપ્ટને પણ એજ વાત કહી છે તેને સેમિફાઇનલ પહેલા ધવનના સ્વસ્થ થઇ જવાની આશા છે.
કોહલીએ મેચ રદ્દ થયાની ઘોષણા બાદ કહ્યું, ''ધવન અંગૂઠા પર થોડા દિવસ પ્લાસ્ટર રહેશે અને ત્યારબાદ તેની સ્થિતિ જોઇશું. આશા છે કે, તે જલ્દી સ્વસ્થ થઇ જશે અને ટૂર્નામેન્ટની બાદ મેચોમાં અવેલેબલ રહેશે, સેમિફાઇનલમાં પણ.'' ટીમ ઇન્ડિયા હવે પોતાની આગામી મેચ પાકિસ્તાન સામે રમવાની છે .આ મેચ અંગે કોહલીએ કહ્યું કે, ‘જ્યારે મેદાન પર ઉતરીયે ત્યારે શાંતિ રહે છે. તમામ પ્રકારનો ઉત્સાહ અને ઝનૂન પહેલીવખત રમી રહેલા ખિલાડીઓ પર છવાઇ જાય છે. અમારા માટે આ અમારી યોગ્યતા અનૂરૂપ રમવાની છે અને પ્રોફેશનલ ખેલાડીઓ છે. આ હવે ઘણું પ્રતિસ્પર્ધી થઈ ગયું છે.’
કોહલીએ મેચ રદ્દ થવા પર નિરાશા વ્યક્ત કરી. ભારતીય કેપ્ટને કહ્યુ કે, ''ખેલાડીઓના દૃષ્ટિકોણથી અને પોઈન્ટ્સ ટેબલના હિસાબથી મેચ ન રમાઇ શકવી નિરાશાજનક છે, પણ જ્યારે રમવાલાયક સ્થિતિ ન હોય ત્યારે મેદાન પર ન ઉતરવુ સારુ છે. અત્યારે અમે કોઇ ઇજા ઇચ્છતા નથી. અમે અત્યારે ઘણું સારું ક્રિકેટ રમી રહ્યા છીએ અને એટલે ચિંતા નથી, કે અમે પોઇન્ટ્સ ટેબલમાં ક્યાં છીએ.''