પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે જો વિરાટ કોહલી તેમના જમાનામાં રમતા હોત તો 30થી 50 સેન્ચુરી જ બનાવી શક્યા હોત.
શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઈને કહી મોટી વાત
30થી 50 સેન્ચુરી જ બનાવી શક્યા હોત કોહલી
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય કરિયરમાં મારી છે 75 સેન્ચુરી
ભારતીય બેટર વિરાટ કોહલી અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 75 સેન્ચુરી મારી ચુક્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી, સચિન તેંડુલકર બાદ સૌથી વધારે સેન્ચુરી મારનાર બીજા બેટ્સમેન છે.
તે હંમેશા કોહલીના સપોર્ટમાં બોલે છે. પરંતુ આ વખતે તેમણે કિંગ કોહલીને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે જો તે આમારા જમાનામાં રમતા હોત તો 30થી 50 સેન્ચુરી પણ ન કરી શક્યા હોત.
વિરાટને થાત મુશ્કેલી
અખ્તરે દોહામાં લેજન્ડ્સ લીગ ક્રિકેટના અવસર પર વાત કરતા જણાવ્યું કે જો વિરાટ કોહલી અમારા જમાનામાં રમતા હોત તો અમે તેમને ખૂબ સ્લેઝ કરત. વિરાટ કોહલીને ખૂબ મુશ્કેલી થાત.
શોએબ અખ્તરે જણાવ્યું, "જો હું, વકાર યુનિસ અને વસીમ અકરમ પોતાના ચરમ પર હોતા તો વિરાટને ખૂબ મુશ્કેલી થાત. અમે તેને સ્લેઝ કરતા અને પંજાબી હોવાના કારણે તે જવાબ આપતા. અમે તેમને ખૂબ જ હેરાન કરતા હોત."
અમારા જમાનામાં 30થી 50 સેન્ચુરી પણ ન બનાવી શકત
શોએબે આગળ જણાવ્યું કે કેમ કોહલી તેમના જમાનામાં 30-50 સેન્ચુરી બનાવી શકતા હતા. અખ્તરે આગળ જણાવ્યું કે, "જો તે અમારા જમાનામાં રમતા હોત તો તેમની પાસે આ 70થી વધારે સેન્ચુરી ન હોત. પરંતુ 30થી 50 સેન્ચુરી જ તે બનાવી શકત અને તે સેન્ચુરી બીજી શ્રેણીના હોત. અમને વ્યક્તિગત રીતે લાગે છે કે સુનીલ ગાવસ્કર સૌથી મહાન હતા, ખાસકરીને હવે તે 80ના દશકના બોલર વિરૂદ્ધ રમતા હતા. તે બોલરનો સામનો કરવા માટે સૌથી ટફ હતા. ગાવસ્કરે અત્યાર સુધી 34ની વિરૂદ્ધ ઘણી સેન્ચુરી મારી હતી. સચિન પણ મહાન છે કારણ કે તેમણે અમારા સમયની બોલિંગનો સામનો કર્યો. જેમાં બોલરો માટે કોઈ પ્રતિબંધ ન હતા."
અખ્તરે વિરાટને 100 સેન્ચુરી પાર કરવાની આપી ટીપ
આ ઉપરાંત અખ્તરે એ પણ જણાવ્યું કે કેવી રીતે વિરાટ કોહલી 100 સેન્ચુરીનો આંકડો પાર કરી શકે છે. અખ્તરે આ વિશે જણાવ્યું, "હું વિરાટ કોહલીને અપીલ કરૂ છું કે તે 43 વર્ષની ઉંમર સુધી રમે, તેમની પાસે હાલ 8 કે 9 વર્ષ છે. ઈન્ડિયા તમને વ્હીલચેરમાં પણ રમાડશે અને તમને 100 સેન્ચુરી સુધી પહોંચાડશે. મને લાગે છે કે તે પોતાના રિટાયરમેન્ટ સુધી 110 સેન્ચુરી મારી દેશે."