ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકાના વિરુદ્ઘ ગુવાહાટીમાં T-20 મેચ પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો છે. મેચ પહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન કેચ પકડતા સમયે હાથ પર તેણે ઇજા થઇ. ટીમ ઇન્ડિયાના ફિઝિયો નીતિન પટેલ તરત વિરાટ કોહલીના હાથ પર સ્પ્રે લગાવતા જોવા મળી રહ્યા હતા.
22 મહિના પછી T-20 રમશે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા
ગુવાહાટીમાં સાંજે 7 વાગે શરૂ થશે સીરિઝની પહેલી T-20
ટીમ ઇન્ડિયાએ પોતાની છેલ્લી સીરિઝ T-20 માં વેસ્ટ ઇન્ડિઝને 2-1 થી હરાવ્યુ હતુ, જ્યારે શ્રીલંકાને ઓસ્ટ્રેલિયાએ 0-3 હરાવ્યુ હતુ. શ્રીલંકાની ટીમ માટે આ સીરિઝ જીતવી ઘણી મુશ્કેલ છે, અત્યાર સુધી શ્રીલંકાએ ભારતની વિરુદ્ઘ એક પણ T-20 સીરિઝ નથી જીતી.
ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે બારસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં 3 મેચની T-20 સીરિઝની પહેલી મેચ રવિવારે રમી. આ સીરિઝમાં તમામનું ધ્યાન ટીમ ઇન્ડિયાના 2 દિગ્ગજો શિખર ધવન અને જસપ્રીત બુમરાહ પર રહેશે, આ ઇજા પછી પણ પરત ફરી રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ T-20 અને વનડે સીરિઝ 2 જીત મેળવી હતી. આ પછી ટીમ બ્રેક પર હતી અને નવા વર્ષની શરૂઆત જીતની સાથે કરવા માંગશે.