IPLમાં વિરાટ કોહલીની ટીમ RCBને ફરીથી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે કેપ્ટન કોહલી ટીમ પર ભડક્યો છે.
શુક્રવારે ફરી હારી ટીમ RCB
કેપ્ટન કોહલી થયો ખુબ નિરાશ
ડ્રેસિંગ રૂમમાં ટીમ પર ભડક્યો વિરાટ
શુક્રવારે CSK અને RCB વચ્ચે રમાયેલા મુકાબલામાં RCBને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી સૌથી વધારે દુઃખી કેપ્ટન કોહલી છે. વિરાટ કોહલીએ હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને ધમકાવ્યા હતા અને કહ્યું, આપણને આ હાર પર શરમ આવવી જોઇએ.
વિરાટ કોહલીનું કહેવું છે કે આ હાર પર RCBની ટીમને દુઃખી થવું જોઇએ. તેણે આગળ કહ્યું કે, આજની હારથી આપણે દુઃખી થવાની જરૂર છે. આ ખુબ જ શરમજનક હાર છે. આપણે મૅચમાં ટોપ પર હતા પરંતુ તેને ફિનીશ ન કરી શક્યા. આપણે આ પ્રકારનો ખેલ નથી રમવાનો.
કોહલીએ કરી હતી સારી શરૂઆત
CSK વિરુદ્ધ બેટિંગ કરતા વિરાટ કોહલી અને પડિકલની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. RCBએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 13.1 ઓવરમાં 111 રન બનાવી લીધા હતા પરંતુ કોહલી 53 રન બનાવીને આઉટ થઇ ગયો હતો બાદમાં ટીમ માત્ર 156 રન જ બનાવી શકી હતી.
વિરાટનું માનવું છે કે ટીમે 15થી 20 રન ઓછા બનાવ્યા હતા. કેપ્ટને કહ્યું કે આપણે વધારે રન બનાવવાની જરૂર હતી. 175નો સ્કોર આ પીચ પર સારો સાબિત થઇ શક્યો હોત. આ હારથી હું ખુબ નિરાશ છું.
IPL જ્યારથી UAE શિફ્ટ થયું છે ત્યારથી RCBની આ બીજી હાર છે અને 10 પોઇન્ટ સાથે RCB પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે.