ગઈકાલની મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની IPL મેચમાં અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ જાહેર કરતા કિંગ કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો.
અમ્પાયરનાં નિર્ણયથી ગુસ્સે ભરાયો કિંગ કોહલી
અમ્પાયરે વિરાટની તરફેણમાં નિર્ણય ન આપતા તેને આઉટ કર્યો હતો
વિરાટ કોહલીએ બનવ્યા 48 રન
અમ્પાયરનાં નિર્ણયથી ગુસ્સે ભરાયો હયો કિંગ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન વિરાટ કોહલી અમ્પાયરના એક નિર્ણયથી ઘણો નારાજ દેખાયો. IPL 2022 માં 9 એપ્રિલના રોજ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી હતી. IPLની 18મી મેચમાં ટોસનો સિક્કો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના પક્ષમાં પડ્યો, ત્યારબાદ તેણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ મુજબ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લોરને 152 રનનો ટારગેટ આપ્યો હતો. જેને બેંગ્લોરની ટીમે 18.3 ઓવરમાં 7 વિકેટે હાંસલ કરી લીધો હતો. પરંતુ આ દરમિયાન શાનદાર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ તે ગુસ્સે થઈ ગયો હતો.
9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. મુંબઈ દ્વારા આપવામાં આવેલા ટારગેટનો પીછો કરતા માસ્ટર વિરાટ કોહલીએ યુવા બેટ્સમેન અનુજ રાવત સાથે 52 બોલમાં 80 રનની ભાગીદારી કરીને બેંગ્લોરને જીતની નજીક પહોંચાડ્યું હતું.
આવી સ્થિતિમાં વિરાટ કોહલી ઈચ્છતો હતો કે તેની ટીમ આ મેચમાં અજેય રહીને જીતે. પરંતુ ઈનિંગની 19મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ડેવોલ્ડ બ્રેવિસનો પહેલો બોલ વિરાટ કોહલીના પેડ પર વાગ્યો હતો. જ્યારે મુંબઈએ LBW માટે અપીલ કરી ત્યારે મેદાન પરના અમ્પાયરે વિરાટને આઉટ જાહેર કર્યો હતો.
A complete performance on the field and with the bat. ✅
Three wins in a row. ✅✅✅
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2022
પરંતુ વિરાટ કોહલીએ ડીઆરએસની માંગ કરી કારણ કે તેના કહેવા પ્રમાણે બેટની કિનારી વાગી હતી. જે બાદ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો. જ્યાં વારંવાર રિપ્લે જોયા બાદ અમ્પાયરે વિરાટ કોહલીની તરફેણમાં નિર્ણય ન આપ્યો અને તેને 48ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફરવું પડ્યું. આવી સ્થિતિમાં મેદાનની બહાર જતા સમયે વિરાટ કોહલી બિલકુલ ખુશ દેખાતો ન હતો અને તેણે મેદાનમાં બેટ માર્યું હતું.