ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર બાંગ્લાદેશની સામે ફેઇલ સાબિત થયાં છે. બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં કોહલી 1 રનનાં સ્કોર પર આઉટ થયાં , વિકેટ પડ્યાં બાદ તેમનો બાંગ્લાદેશી પ્લેયર્સ સાથે વિવાદ પણ થયો હતો.
બીજી ટેસ્ટની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનું પર્ફોર્મન્સ નબળું
બાંગ્લાદેશનાં 145નાં લક્ષ્યને પણ પાર કરવું બનશે અઘરૂં
વિરાટ કોહલી 1 રનથી આઉટ થતાં કર્યો વિવાદ
બાંગ્લાદેશનાં મીરપુરમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ખેલાયેલ બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક થઇ ગઇ છે. બાંગ્લાદેશે ભારતને જીત માટે 145 રનોનો લક્ષ્યાંક આપ્યો છે પરંતુ ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં ખાસ પર્ફોર્મન્સ આપી શકી નથી. 50નાં સ્કોર પહેલાં જ ટીમની ચાર વિકેટ પડી ગઇ હતી.
વિરાટ કોહલી 1 રન કરી થયાં આઉટ
ત્રીજો દિવસ પૂરો થયાં પહેલા જ્યારે વિરાટ કોહલીની વિકેટ પડી તો મેદાનમાં વિવાદ ઊભો થયો હતો. વિરાટ કોહલી આઉટ થયા બાદ બાંગ્લાદેશી પ્લેયર સાથે વિવાદમાં ઊતર્યાં હતાં. અને સ્થિતિ એવી સર્જાઇ કે શાકિબ અલ હસનને બચાવ માટે વચ્ચે આવવું પડ્યું. બીજાં ટેસ્ટની બીજી ઇનિંગમાં વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થઇ ગયાં. મેહદી હસન મિરાજની બોલ પર મોમિનુલ હસને વિરાટ કોહલીનો કેચ પકડ્યો હતો. વિરાટ કોહલી જ્યારે આઉટ થયાં ત્યારે બાંગ્લાદેશી પ્લેર્ય્સે હર્ષોલ્લાસની કિકિયારીઓ કરી હતી.
વિરાટ ક્રિઝ પર જ રોકાઇ ગયાં
વિરાટ કોહલી ત્યાં ક્રિઝ પર જ રોકાઇ ગયાં અને બાંગ્લાદેશી પ્લેયર્સ પણ ભડકી ઊઠ્યાં. આ તમામ સ્થિતિની વચ્ચે કેપ્ટન શાકિબ અલ હસન વિરાટ કોહલીની પાસે આવ્યાં અને તેમની સાથે વાત કરી. જેના પછી વિરાટ કોહલીએ ખેલાડી વિશે વાત કરીને છેલ્લે મામલો શાંત થયો હતો.
Kohli was indulged in a fight and commentator said "jaban se nahi balle se jawab dena tha" Virat is definetly missing his big brother Rohit sharma pic.twitter.com/vCL47DX0Ig
ટીમ ઇન્ડિયાની હાલત ટાઇટ
મેચનાં ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ થઇ છે. બાંગ્લાદેશે ભારતને 145 રનોનો લક્ષ્યાંક આપ્યો હતો અને જવાબમાં ટીમ ઇન્ડિયાનાં 45 રનોનાં સ્કોર પર 4 વિકેટ પડી ગયાં હતાં. ટીમ ઇન્ડિયાનાં તમામ મોટા બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી ચૂક્યાં છે.