વર્લ્ડકપમાં સૌથી સારું ફોર્મ કરવા છતાં ટાઇટલ ના જીતનારી ટીમ ઇન્ડિયા હવે આગામી ટૂર્નામેન્ટને લઇને તૈયાર છે.
કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બિઝી રૂટિન, જિમ અને શૂટમાં સમય વીતાવી રહ્યો છે, ત્યારે બાકીના ખેલાડીઓ પોતાના આગામી મિશન એટલે કે વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ પર ફોકસ કરી રહ્યા છે. વિરાટ કોહલાીએ એક ઇન્ટરવ્યૂમાં વિભિન્ન મુદ્દાઓને લઇને વાતચીચ કરી હતી. વિરાટે ટીમના મૂડથી લઇને ડ્રેસિંગ રૂમની અંદરની વાત કહી. વિરાટ આ ઇન્ટવર્યૂ દરમિયાન ઘણા રસપ્રદ સવાલોના જવાબ આપ્યા...
'અમે ભૂલ નથી કરી તેમ છતાં ટૂર્નામેન્ટની બહાર હતા, દુખ થતુ હતુ'
વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની સામે હાર્યા પછી મેં ટીમને કહ્યુ કે, આપણે ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા, તેના પર તમને ગર્વ હોવો જોઈએ. તમે ક્યારેય ન ભૂલતા કે આપણું પ્રદર્શન સારું રહ્યું હતું. જ્યારે તમે પોતાને ક્રેડિટ આપવાનું બંધ કરી દો છો, ત્યારે તમે પોતાના પર કારણ વગરનું દબાણ નાખવાનું શરૂ કરો છો. હાર અને જીતમાં બેલેન્સ જાળવી રાખવું અગત્યનું છે. જયારે તમને પોતાના પર વિશ્વાસ હોય છે અને તમે મારુ શ્રેષ્ઠ આપો છો ત્યારે તમારું કેરેક્ટર મજબૂત થાય છે. અમારા માટે હારનો સામનો કરવો સરળ ન હતો, ખાસ કરીને ત્યારે જયારે અમને ખબર હતી કે અમે બહુ ભૂલો કરી ન હતી. તમે ભૂલો કરી હોય તો તેનો સ્વીકાર કરીને આગળ ચાલવું સરળ છે. પરંતુ આ રીતે બહુ તકલીફ થાય છે. સવારે ઉઠીને તમે વિચારો છો કે અમે કઈ ભૂલ કરી નથી, તેમ છતાં ટૂર્નામેન્ટની બહાર છીએ.
'ચેન્જિંગ રૂમમાં બધા એકસરખા'
ટીમમાં કોઈને ખિજાવવાનો માહોલ હવે રહ્યો નથી. હું જેટલો ફ્રેન્ડલી કુલદીપ યાદવ સાથે છું એટલો જ ફ્રેન્ડલી એમએસ ધોની સાથે છું. ડ્રેસિંગરૂમનું વાતાવરણ એવું છે કે કોઈ પણ કોઈને કઈ પણ કહી શકે છે. હું પોતે જઇને કહું છુ કે, જો ભાઈ, મેં આ ભૂલ કરી હતી, તું ના કરતો!
'તમામ ધર્મોની સન્માન કરું છું'
વિરાટે કહ્યુ કે, ''હું કોઇ ધાર્મિક વ્યકિત નથી અને ક્યારેય કોઇ ધર્મમાં બંધાયેલો નથી. મેં તમામ ધર્મોની સન્માન કરુ છુ અને તમામ લોકોનો સ્વીકાર કરુ છું. મને લાગે છે કે તમામ આધ્યાત્મિક હોય છે.''
'નવા ખેલાડીઓ સાથે કરું છુ વાતચીત'
ટીમના નવા ખેલાડીઓ સાથે વાતચીતને લઇને વિરાટે કહ્યુ કે, રિષભ પંત, શ્રેયસ ઐયર અને શુભમન ગિલમાં જે કોન્ફિડન્સ છે, તે અદભુત છે. મેં પહેલા પણ કહ્યું હતું કે 19-20 વર્ષની વયે અમે તેમના જેટલું સારું ક્રિકેટ રમી શકતા ન હતા. IPLના લીધે તેઓ પોતાની સ્કિલ્સ પર કામ કરી શક્યા છે. IPL ઇન્ડિયન ક્રિકેટને ઘણું આગળ લઇ ગયું છે.
'120 % આપીશ'
ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ કે, ''હું ક્યારેય કોઇને કહેતો નથી કે આમ કરો તેમ કરો. હું મારું કામ કરુ છું, હું જિમમાં મારો સમય પસાર કરુ છે, પ્રેક્ટિસ સેશનમાં સમય આપુ છું. હું મારુ 120% આપતો રહીશ.''