વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમ ઇન્ડિયાને લઇને હોબાળા થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો (BCCI) બચાવ કર્યો છે. રાજકોટ ટેસ્ટના એક દિવસ પહેલા પત્રકાર પરિષદ દરમ્યાન જ્યારે તેઓ મીડિયા સામે આવ્યા તો તેમણે ટીમ સિલેક્શનને લઈને તીખા પ્રશ્નોનો સામનો કર્યો. અહીં ભારતીય કેપ્ટને પસંદગીકારોનો બચાવ કરીને આ સીરિઝમાં બેંચમાર્ક નક્કી કરવાની વાત કહી છે.
વિરાટે કહ્યું બેંચમાર્ક સેટ કરવા ઈચ્છીએ છીએ:
વિરાટે કહ્યુ કે ‘અમે આ સીરિઝમાં બેંચમાર્ક સેટ કરવા ઈચ્છીએ છીએ. કેટલાંક યુવાન ખેલાડી ટૉપ ઓર્ડરમાં આવે છે તો તેમને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળે છે. મારા મત મુજબ યુવાન ખેલાડીઓ માટે આ સારી તક છે.’ ઉલ્લેખનીય છે કે સિલેક્ટર્સ પર તે વખતે સવાલ ઉભા થવા લાગ્યા જ્યારે બે મેચોની સીરિઝ માટે પસંદ કરેલી ટીમમાં કરૂણ નાયર અને એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનારા રોહિત શર્માને તક મળી નહીં. ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે ટીમમાં કરૂણ નાયરને સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ મેચમાં રમવાની તક મળી નહીં.
We'd like to take the series as a benchmark we would like to set. With couple of new guys coming in at the top of the order they have a chance to show the skill set they have got I think it is a good opportunity for them: Virat Kohli ahead of series between India & West Indies pic.twitter.com/2kyfkOAjFV
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્મા શિખર ધવન ભુવનેશ્વર કરૂણ નાયર અને બુમરાહની ટીમમાંથી બાદબાકી કરતા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતાં. એશિયા કપમાં પોતાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવનારા રોહિતને પણ ટીમથી બહાર રખાયા છે. ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવાની વાત પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય સ્પિનર હરભજન સિંહે કરૂણને રમ્યા વગર ટીમમાંથી બહારનો રસ્તો બતાવતા હરભજનસિંહે સિલેક્ટર્સ પર નિશાન સાધ્યું હતું.
પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ અંગે તેમણે કહ્યું કે પૃથ્વી શૉ હનુમા વિહારી અને મયંક અગ્રવાલે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેમણે આ સીરિઝને તકના રૂપમાં લેવી જોઈએ દબાણના રૂપમાં લેવી જોઈએ નહીં. અહીં તેમને તક મળશે કે તેઓ પ્રદર્શન કરે અને લાંબા સમય સુધી રમતને રમવાનુ ઝનૂન પૂર્ણ કરે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા બોર્ડે 12 ખેલાડીઓની યાદી જાહેર કરી છે જેમાં પૃથ્વી શૉને પણ પસંદ કરાયો છે.
હરભજને સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન:
હરભજને મંગળવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે ''આ એક એનું રહસ્ય છે જેનું નિવારણ લાવવું જરૂરી છે. 3 મહિના સુધી બેંચ પર બેઠેલો ખિલાડી કઇ રીતે ખરાબ કરી રીતે હોઇ શકે કે તે ટીમમાં રહેવા માટે પણ લાયક નથી. નેશનલ ટીમની પસંદગી માટે આ સમિતિ જે રીતે માપદંડ અપનાવી રહી છે તેના વિશે વિચારીને મને દુખ થાય છે. ''