ટીમ ઈન્ડિયાની જીતની ખુશી હતી પણ લોકો વિરાટ કોહલીથી ઘણા નારાજ થયા
વિરાટ ફિલ્ડિંગ કરતાં કરતાં ઢોલના તાલ પર તેમના ફેન્સને ખુશ કરવા માટે નાચવા લાગ્યા
એજબેસ્ટનમાં ટેસ્ટ મેચમાં શરમજનક હાર મેળવીને ભારતીય ટીમ ફરી એક વખત મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડ સામેની ટી20 મેચમાં ભારતીય ટીમનું ઘણું સારું પ્રદશન જોવા મળ્યું હતું. એજબેસ્ટનમાં જ ટીમ ઇન્ડિયાને ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે એજબેસ્ટનમાં જ ટી-20 સીરીઝમાં જીત મેળવીને તેનો બદલો લીધો છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદશન કરી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રનથી હરાવીને 3 મેચની સિરિજમાં 2-0થી જીત મેળવી લીધી છે. આઆવી સારી જીત પછી પણ ઘણા ફેન્સના દિલ તૂટયા છે અને તેની પાછળનું કારણ છે વિરાટ કોહલી.
વિરાટ કોહલી તેમના જુસ્સા માટે જાણીતા છે પણ હાલ ઘણા સમયથી સારા રન બનાવી શક્યા નથી. અને આ વખતે પણ વિરાટ કોહલી એક પણ મેચમાં સારા રન બનાવવામાં નિષ્ફળ ગયા છે. વિરાટને ટી20માં સારું પ્રદશન કરવાનો મોકો મળ્યો હતો પણ તેઓ ફેલ રહ્યા અને બીજી ટી20 મેચમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ વખતેની મેચમાં વિરાટના ફેન્સ તેમની પાસે મોટા સ્કોરની આશા રાખીને બેઠા હતા પણ અંતે એમની આશા નિરાશામાં ફેરવાઇ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની જીતની ખુશી હતી પણ લોકો વિરાટ કોહલીથી ઘણા નારાજ થયા છે.
છેલ્લા ઘણા સમયથી વિરાટ સારું નથી રમી રહ્યા છતાં પણ લોકો એમને પસંદ કરે છે અને તેની પાછળનું કારણ આ મેચમાં પણ દેખાયું હતું. વિરાટ જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યા હતા એ સમયે બાઉન્ડ્રી પાસે એમને તેમના ફેન્સ સાથે વાતચીત કરી અને ત્યાં ઉભેલ ભારતીય ફેન્સ લગાતાર ઢોલ વગાડી રહ્યા હતા અને વિરાટ ફિલ્ડિંગ કરતાં કરતાં ઢોલના તાલ પર તેમના ફેન્સને ખુશ કરવા માટે નાચવા લાગ્યા હતા. આ પહેલી વખત નથી જેરે વિરાતે તેના ફેન્સને આવી રીતે ખુશ કર્યા હોય. વિરાટ ઘણી વખત મેદાનમાં જોશીલ અંદાજમાં દેખાય છે અને તેના ફેન્સ સાથે કનેક્ટ પણ કરે છે.
જો કે વિરાટે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ઇન્ટરનેશનલ સદી મારી નથી અને હવે વિરાટ ઘણા સમયથી કોઈ મોટો સ્કોર પણ કરી શક્યા નથી. જેથી લોકો હવે પ્લેઈંગ 11 ની સાથે સાથે ટેસ્ટ મેચ અને ટી20 મેચમાં પણ વિરાટ કોહલીની જગ્યાને લઈને સવાલ ઉઠાવવા લાગ્યા છે.