2014માં જ્યારે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે ગઇ હતી ત્યારે વિરાટ કોહલીએ 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 134 રન જ બનાવ્યા હતા પણ આ વખતે તે શાનદાર ફૉર્મમાં છે અને સીરિઝમાં 400થી વધુ રન બનાવી સૌથી ઉપર છે. વાસ્તવમાં વિરાટ કોહલીએ આ પ્રવાસમાં એકલો એવો ભારતીય બેટ્સમેન છે જે ઇંગ્લેન્ડના બોલર્સને પડકાર ફેંકતો દેખાઇ રહ્યો છે. નોટિંઘમ ટેસ્ટમાં પણ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 97 અને બીજી ઇનિંગમાં 103 રનની ઇનિંગ રમી હતી.
વિરાટ કોહલીએ પોતાના સારી ફૉર્મની ક્રેડિટ પોતાની પત્ની અનુષ્કા શર્માને આપ્યો છે. તેણે કહ્યુ કે અનુષ્કા ઇંગ્લેન્ડમાં છે અને તેનો આત્મવિશ્વાસ વધારી રહી છે. તેણે કહ્યુ કે છેલ્લા કેટલાક સમયમાં અનુષ્કાને ઘણી બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે પણ ફોર્મનો ક્રેડિટ તેણે જ જાય છે.
ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટન અને લોર્ડ્સમાં મેળવેલી હાર બાદ નોટિંઘમ સીરિઝમાં 203 રનથી જીત મેળવી છે. આ જીત બાદ કેપ્ટને આશા વ્યકત કરી છે તેની ટીમ હવે સીરિઝ જીતી શકે છે. કોહલીએ કહ્યુ કે ''જો ટીમના ખિલાડીઓમાં આત્મવિશ્વાસ ન હોય તો ટીમ ઇન્ડિયા અગાઉની 2 ટેસ્ટની જેમ અહીં પણ ન જીતી શકી હોત.'' તેણે કહ્યુ કે ''મને પૂરો વિશ્વાસ છે કે અમે હજુ 3-2થી જીતી શકીએ છીએ. સતત સારું ફોર્મ આપવું પડશે.''
કેપ્ટને પોતાના બોલર્સની ફિટનેસની પ્રશંસા કરી. વિરાટે કહ્યુ કે ''હું ફાસ્ટ બૉલર્સના ફિટનેસ લેવલથી ખુશ છું. તે સારા ફોર્મમાં છે. અમે ઇચ્છીએ છીએ કે વિરોધી ટીમે રન બનાવવા માટે સારી બેટિંગ કરવી પડે અમે નબળી બૉલિંગ કરીને તેમનું કામ સરળ કરવા માંગતા નથી.''