ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં હાર્યા પછી અટકળો શરૂ થઇ ગઈ હતી કે મહેન્દ્રસિંહ ધોની ભારત પાછો આવીને નિવૃત્તિ જાહેર કરી દેશે.
જોકે આવુ કઈ થયું નથી. હવે અમુક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી રહ્યા છે કે ધોની સંન્યાસ લેવા ઈચ્છતો હતો પરંતુ વિરાટ કોહલીએ તેને એવું કંઇ જ કરવાની ના પાડી હતી. કોહલી ઈચ્છતો હતો કે, ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓ માહી સાથે વધુ સમય પસાર કરે અને ક્રિકેટની સ્ક્રિલ શીખે.. ધોની આગામી વેસ્ટ ઇન્ડિઝ ટૂરમાં ટીમ સાથે જવાનો નથી, તે હાલમાં આર્મી યૂનિટની સાથે કાશ્મીરમાં તૈનાત છે.
એમ એસ કે પ્રસાદ અને ધોની વચ્ચે થઇ હતી મીટિંગ:
મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યુ છે, ધોનીએ નક્કી કરી લીધું હતું કે તે વર્લ્ડકપ પછી સંન્યાસ લેશે. ધોનીએ આ અંગે પોતાના સાથી ખેલાડીઓને પણ જાણ કરી હતી. ધોની IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમે છે. ચેન્નાઇના બધા ખેલાડીઓને ધોનીના વિચાર અંગે જાણતા હતા. ધોની અને મુખ્ય સિલેક્ટર પ્રસાદ વચ્ચે મીટિંગ થઇ હતી. તેમાં પ્રસાદે ધોનીને કહ્યું હતું કે, રિષભ પંત હવે ટીમમાં મુખ્ય વિકેટકીપર છે.
કોહલી પંત માટે માર્ગદર્શન ઈચ્છે છે:
રિપોર્ટ્સમાં એવું પણ સામે આવી રહ્યું છે કે કોહલીને જયારે આ અંગે ખબર પડી તો તેણે તરત જ ધોની સાથે વાત કરી હતી. કોહલીએ ધોનીને કહ્યું કે તેણે આટલી જલ્દી સંન્યાસ લેવા અંગે વિચારવું જોઇએ નહી. તેણે ધોનીને કહ્યું કે તેની ફિટનેસ હજી પણ પહેલા જેવી જ છે. તેમજ ટીમ બદલાવમાંથી પસાર થઇ રહી છે, તેથી હોટીમને અને ખાસ કરીને યુવા વિકેટકીપર પંતને ધોનીની ગાઇડન્સની જરૂર છે.
રિપોર્ટ્સ અનુસાર, વિરાટને લાગે છે કે ધોની એકદમ ફિટ છે, તો તે T-20 વર્લ્ડકપ સુધી જરૂર રમી શકે છે. સિલેક્ટર્સ નથી ઇચ્છતા કે ટીમમાં પંત સિવાય અન્ય કોઈ કીપર હાજર હોય. પરંતુ જો પંત અનફિટ થઇ જાય તો તેની જગ્યાએ વિકેટકીપિંગ અને બેટિંગ કરી શકે તેવો અન્ય કોઈ વિકલ્પ હાજર નથી. ધોની ત્યારે ટીમની મદદે આવી શકે છે. તે ઉપરાંત તેની હાજરીનો ઈશાન કિશન, સંજુ સેમસન અને રિદ્ધીમાન સાહા જેવા વિકેટકીપર્સને પણ માર્ગદર્શન મળી સકે છે.