ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝમાં કારમી હાર બાદ હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝમાં વિજય ફતેહ કરવા માટે કમર કસી લીધી છે. જે નિમિત્તે ટેસ્ટ સીરીઝ માટે પ્રેક્ટીસ મેચનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેક્ટીસ મેચમાં ટીમ જે સંયોજન સાથે ઉતરી તેનાથી ફેન્સ ગોથે ચઢી ગયા છે.
પ્રેક્ટીસ મેચમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ઓપનિંગ કરવા ઉતર્યા. આ મેચમાં મયંકને આરામ આપવામાં આવ્યો. આ મેચમાં મયંકને આરામ આપવાની જરૂર હતી કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યા છે. પૃથ્વી શો પ્રેક્ટીસ મેચમાં ખાતું ખોલ્યા વગર જ પવેલિયન ભેગા થઈ ગયા.
આજે ટીમમાં કર્યા મોટા ફેરફાર
ચેતશ્વર ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા જે બાદ મયંક અગ્રવાલ એક રન બનાવીને આઉટ થઇ ગયા. લોકોને લાગ્યું કે વિરાટ કોહલી નંબર ચાર પર આવશે પરંતુ શુભમન ગિલ ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતર્યા. શુભમન પણ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઇ ગયા. ગિલનાં આઉટ થયા બાદ રહાણે અને હનુમા વિહારી ક્રીઝ પર આવ્યા જે બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતર્યા જ નહીં.
ઓસ્ટ્રેલિયા સામે કોહલીનો પ્રયોગ ફ્લોપ રહ્યો
ટીમને જોઈને કોઈ સમજી જ ન શક્યું કે વિરાટને કેવી ટીમ જોઈએ છે. શુભમન ગિલને કયા ક્રમમાં ટીમમાં રમાડવા પર તે મુદ્દે વિરાટ કોહલી કન્ફયુઝ છે. જો મયંક અને પૃથ્વી ઓપનીંગ કરે તો ગિલ કોહલીનું સ્થાન લેશે ? ટીમમાં બેટિંગ ઓર્ડરમાં બદલાવ કરવાથી ખેલાડીઓનાં પરફોર્મન્સ પર ખરાબ અસર થાય છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે આ જ પ્રયોગ કર્યો હતો જે બિલકુલ ફ્લોપ રહ્યો અને ભારત મેચ હાર્યું. જો વિરાટ કોહલી ટેસ્ટ સીરીઝમાં ફરીથી તે જ ફેરફાર ટીમમાં કરશે તો ટીમને ભારે નુકસાન થઇ શકે છે.
ટીમમાં વારેઘડીએ થાય છે ફેરફાર
ટીમ સિલેકશનને લઈને વિરાટ પર ઘણી વખત સવાલ ઉભા કરવામાં આવે છે. જેનું ઉદારહણ છે મનીષ પાંડે. પાંડેને સારા પ્રદર્શન છતાં અંદર-બહાર કરવામાં આવ્યા. મનીષ પાંડેની જગ્યાએ જયારે કેદાર જાધવને ટીમમાં લીધા ત્યારે કેદાર જાધવ સાથે બોલિંગ કરાવી જ નહીં. કોહલીના આવા નિર્ણયથી ખેલાડીઓને માનસિક તણાવ થઇ શકે છે. પોતાના સ્થાને ગમે ત્યારે કોઈ બીજો આવી જશે તે બીકે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. જેથી ખેલાડી સારું પ્રદર્શન કરી શકતા નથી. મનીષ પાંડેની જગ્યાએ ક્યારેક શિવમ દુબે તો ક્યારેક કેદાર જાધવને લેવામાં આવ્યા હતા.
બોલર્સ પર ભરોસો કેમ નથી?
ટીમ સિલેકશન સિવાય મેદાન પર લીધેલા અમુક નિર્ણય પર પણ સવાલો ઉભા થાય છે. બીજી વન ડે મેચમાં 42મી ઓવરમાં આઠ વિકેટ ગુમાવી બેઠેલી ન્યૂઝીલેન્ડની ટીમે 197 રન બનાવ્યા હતા એવામાં કોહલી પોતાના ફોર્મ બોલર્સને આગળ કરીને ઇનિંગ વહેલા ખતમ કરવાના પ્રયત્નો કરવા જોઈએ ત્યાં ઓ તેમણે શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની સાથે બોલિંગ કરાવીને બેટ્સમેનને સેટ થવાનો મોકો આપી દીધો. ન્યૂઝીલેન્ડની ટીમે 273 રન બનાવી નાખ્યા. જો કોહલી ટેસ્ટ સીરીઝમાં આવા જ નિર્ણયો લેશે તો વન ડે જેવા જ હાલ ટીમનાં થઇ શકે છે.