વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવ્યું છે. સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કપ્તાન પણ બની ચૂક્યા છે. તેઓએ 28મી ટેસ્ટ જીતીને મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ પાડી દીધા છે.
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે ટેસ્ટ મેચની સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ભારતે પહેલી ટેસ્ટ 318 રનથી જીતી હતી. વિરાટની કપ્તાનીમાં ભારતની આ પહેલી 28મી ટેસ્ટ જીત છે. સાથે જ કોહલીએ એક અન્ય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે ભારતના સૌથી કામયાબ ટેસ્ટ કપ્તાન બની ચૂક્યા છે. તેઓએ મહેન્દ્રસિંહ ધોનીના 27 ટેસ્ટ જીતીના રેકોર્ડને તોડી દીધો છે.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝની સામે ચૌથી ઈનિંગમાં 468 રનનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ મેચના ચોથા દિવસે બીજી ઈનિંગમાં વિન્ડિઝની ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારકે પોતાની પહેલી ઈનિંગમાં 416 રન બનાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને 117 રન પર ઓલ આઉટ કર્યા હતા. 299 રનની રાહત પછી કોહલીએ ફોલોઓન ન આપવાનો નિર્ણય લીધો અને પરી બેટિંગ કરી. પોતાની બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટમાં 168 રન બનાવીને ઈનિંગ જાહેર કરી દીધી.
જીત પછી કપ્તાન કોહલીએ કહ્યું કે આ જીતનો રેકોર્જ આ ટીમ વિના શક્ય ન હતો. તેઓએ આ અવસરે બોલર્સના વખાણ કર્યા અને સાથે તેઓએ કહ્યું કે તેમના વિના આ સંભવ ન હતું.
કોહલીએ પોતાની 48મી ટેસ્ટમાં મેચમાં આ જીત મેળવી છે. તો મહેન્દ્રસિંહ ધોનીએ 60માંથી 27 મેચ જીત્યા હતા. સૌરભ ગાંગૂલીએ 49માંથી 21 મેચમાં જીત મેળવી હતી. કોહલીની કપ્તાનીમાં ભારત હાલ સુધી 10 ટેસ્ટ મેચ હાર્યું છે. ભારતની બહાર કોહલીની આ 13મી જીત છે. આ રીતે તેઓ સૌથી સફળ કપ્તાન સાબિત થયા છે.
વનડેમાં ધોની સૌથી આગળ
વન ડેની વાત કરીએ તો ધોની સૌથી સફળ ભારતીય કપ્તાન છે. તેઓએ 200માંથી 110 મેચ જીતી છે. મોહમ્મદ અઝહરુદ્દીન 90 અને સૌરવ ગાંગુલીએ 76 મેચ જીતી છે. તો વિરાટ કોહલીએ 80માંથી 58 વનડે મેચ જીતી છે.