ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં નવા કોટને લઇને પોતાનું મંતવ્ય મૂક્યું, સાથે કોચની પસંદગી પર પોતાની ભૂમિકા માટે પણ સ્પષ્ટ કર્યું છે.
COA એ ટીમના કોચિંગ સ્ટાફને પસંદ કરવા માટે નવી ક્રિકેટ સલાહકાર સમિતિનું (CAC) ગઠન કર્યું છે જેમાં કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામી છે.
વેસ્ટ ઇન્ડિઝ રવાના થતા પહેલા કોહલીએ મુંબઇમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'CAC એ આ મુદ્દે હજુ મને કોઇ સંપર્ક કર્યો નથી. કોહલીએ કહ્યું જો મારું સૂચન માંગશે તો જરૂરથી કહીશ કે રવિભાઇની સાથે અમારા બધાનો તાલમેલ ઘણો સારો છે અને આનાથી અમને બધાને ખુશી થશે.'
જણાવી દઇએ કે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટીમ ઇન્ડિયાની સાથે વર્લ્ડકપ 2019 સુધી જ હતો, પરંતુ હવે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે એમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે.
ટીમ મેનેજમેન્ટે કોચના પદ માટે અરજી પણ માંગી લીધી છે, પરંતુ હાલમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાસ્ત્રીને જ કોચના રૂપમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વિન્ડીઝનો પ્રવાસ 3 ઑગસ્ટથી શરૂ થઇ રહ્યો છે જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરિઝ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત બે ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.