બાંગ્લાદેશની વિરુદ્ધ 28 રનથી સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માના વખાણ કર્યા અને કહ્યું કે એ ટીમના પ્રદર્શનથી ખુશ છે.
બાંગ્લાદેશની સામે પણ રોહિત શર્માની જોરદાર બેટિંગથી ફેન્સની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ એની પર ફીદા છે. રોહિતની ઇનિંન્ગના કારણે ભારત, બાંગ્લાદેશને હરાવીને ICC World Cup માં સેમીફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી. પહેલા બેટિંગ કરતાં ભારતે 9 વિકેટ ગુમાવીને 314 રન કર્યા. રોહિત શર્માએ વર્લ્ડકપનો પોતાનો રેકોર્ડ ચોથી સેન્ચ્યુરી મારી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, 'હું હંમેશા કહું છું કે રોહિત શર્મા સૌથી સારો વન ડે પ્લેયર છે.' તો બીજી બાજુ રોહિતે મેચ બાદ કહ્યું કે તે રેકોર્ડ પર ધ્યાન આપતો નથી. એનો પ્રયત્ન બસ સારું રમવાનો હોય છે.
કેપ્ટન કોહલીએ કહ્યું, 'બાંગ્લાદેશએ ખરેખર સારી મેચ રમી અને એમને જોરદાર હરિફાઇ કરી. છેલ્લી વિકેટ સુધી બાંગ્લાદેશે પ્રયત્ન કર્યો. અમારી જીત માટે મહેનત કરવી પડી પરંતુ ખુશી છે કે અમે સેમીફાઇનલમાં પહોંચી ગયા. આગળની મેચ અમારા માટે સારું કરીને દેખાડવા માટે હશે. અમે જોયું કે હાર્દિકે પ્રેશરમાં વાપસી કરી. એ જ્યારે બોલિં કરવા આવ્યો તો એ એક બેટ્સમેનની જેમ વિચારી રહ્યો હતો અને એનાથી વિકેટ લેવામાં મદદ મળી. હાર્દિકે ખરેખર સારી બોલિંગ કરી.'
એને કહ્યું, 'પાંચ બોલરોને લઇને રમવું રિસ્કી હતું પરંતુ બાઉન્ડ્રીને જોઇને આ નિર્ણય લેવામાં આવ્યો. તમામ મેચોમાં આવું કરી શકાય નહીં. હું જાહેરમાં કહું છું કે રોહિત સૌથી સારો વન ડે પ્લેયર છે. બુમરાહ સારો બોલર છે. ટીમે જે પ્રદર્શન કર્યું એનાથી હું ખૂબ ખુશ છું.'