વિરાટ કોહલી અને BCCI વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સાઉથ આફ્રીકા જતાં પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં દરેક વાત સામે આવી ગઇ હતી.
વિરાટ કોહલી સાઉથ આફ્રીકા જવા રવાના
વામિકાને લઇને કરી મીડિયાને અપીલ
અનુષ્કા પણ હતી વિરાટ સાથે
સાઉથ આફ્રીકા જવા રવાના થયા
કોહલી સહિત ટીમ સાઉથ આફ્રીકા જવા માટે રવાના થઇ ગઇ છે અને ત્યારે ઍરપોર્ટ પર વિરાટ સાથે અનુષ્કા પણ જોવા મળી હતી. પાપારાજી ખુશ થઇને તસવીર લઇ રહી હતી ત્યારે કોહલીએ વામિકાને લઇને એક અપીલ કરી હતી.
વામિકાને લઇને કરી અપીલ
જ્યારે કોહલી બસમાંથી નીચે ઉતર્યો તો તેની સાથે અનુષ્કા શર્મા અને દીકરી વામિકા પણ હતી. તે નીચે આવીને મીડિયાને કહેવા લાગ્યો, બેબીની તસવીર ના લેતા. સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પરફેક્ટ ડેડ ગણાવી રહ્યાં છે.
જોકે તેમ છતાં વામિકાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા તથા કેટલીક મીડિયા સંસ્થાનો દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે VTV દરેકની પ્રાઈવસીનું સન્માન કરે છે અને મરજી વિરુદ્ધ તસવીરો જાહેર કરતું નથી.
ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. વન ડે કપ્તાનીમાંથી હટાવવા પર વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોહલીએ નિવેદન આપ્યું કે તે વન ડે કપ્તાની છોડવા નહોતો માંગતો. સાથે જ તેણે ટી 20ને લઇને પણ નિવેદન આપ્યું હતું. જેના પર BCCIએ જવાબ આપ્યો છે.
કોહલી આવું ન કહી શકે
BCCIએ કહ્યું કે વિરાટ આવું કહી જ ન શકે કે તેને કપ્તાનીમાંથી હટાવવાની જાણકારી નહોતી આપવામાં આવી. અમે વિરાટ સાથે સપ્ટેમ્બરમાં વાત કરી હતી અને તેને ટી 20ની કપ્તાની છોડવા માટે ના કહી હતી.
BCCI તરફથી કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ જ્યારે જાતે ટી20ની કપ્તાની છોડી ત્યારે વ્હાઇટ બોલ ક્રિકેટમાં 2 કેપ્ટન રાખવું આસાન નહોતું. સાથે જ વિરાટ કોહલીને જ્યારે વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો ત્યારે ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિરાટને ફોન કરીને જાણકારી આપી હતી.
અફવાઓ ખોટી
કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રીકામાં તે વન ડે રમવા માટે તૈયાર છે. મારા વિશે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે તે ખોટા છે. મારી સાથે સિલેક્ટર્સની કોઇ વાત થઇ નથી.