કોરોના વાયરસ મહામારી સામેની જંગમાં ઘણાં ભારતીય ખેલાડીઓ મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ આ જીવલેણ વાયરસ સામે લડવા માટે પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.
કોરોના સામે લોકો દિલ ખોલીને કરી રહ્યાં છે દાન
વિરાટ કોહલીએ પણ પીએમ રિલીફ ફંડમાં દાન કરવાની કરી જાહેરાત
આ જીવલેણ ચેપનો પ્રકોપ એટલો વધી ગયો છે કે, દુનિયામાં તેનાથી 34000થી પણ વધુના મોત નીપજી ચૂક્યા છે અને ભારતમાં 30થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મદદ કરવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- અનુષ્કા અને હું પીએમ રિલીફ ફંડ અને મુખ્યમંત્રી રિલીફ ફંડ મહારાષ્ટ્રમાં મદદ કરવાની શપથ લઈએ છીએ.
Anushka and I are pledging our support towards PM-CARES Fund & the Chief Minister's Relief Fund (Maharashtra). Our hearts are breaking looking at the suffering of so many & we hope our contribution, in some way, helps easing the pain of our fellow citizens #IndiaFightsCorona
કોહલીએ વધુમાં કહ્યું- આટલા બધાં લોકોને સંઘર્ષ કરતાં જોઈને અમારું દિલ દુઃખી રહ્યું છે અને અમે આશા કરીએ છીએ કે અમારું યોગદાન અમારા સાથી નાગરિકોના દુઃખ દૂર થઈ શકશે.
જોકે, વિરાટ કોહલીએ આ વાતની જાણકારી આપી નથી કે તેણે કેટલા રૂપિયા દાનમાં આપ્યા છે. તમને જણાવી દઈએ કે, કોહલી પહેલાં ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. જ્યારે સચિન તેંડુલકરે 50 લાખ, પીવી સિંધુએ 10 લાખ રૂપિયા આપ્યા હતા. અજિંક્ય રહાણેએ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયા, સૌરવ ગાંગુલીએ 50 લાખ રૂપિયા અને જરૂરિયાતમંદોને ચોખા, ઈશાન કિશને 20 લાખ, પૂર્વ ક્રિકેટર અતુલ વાસને 5 લાખ અને સૌરભ તિવારીએ દોઢ લાખ રૂપિયા દાનમાં આપ્યા છએ.