પત્રની વિશ્વસનીયતાને લઇને પણ કેટલીક આશંકા છે પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઇ પણ પ્રકારનો ખતરો લેવા ઇચ્છતી નથી.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ T20 મેચોની સીરિઝની શરૂઆત 3 નવેમ્બરથી થઇ રહી છે
દિલ્હીમાં ભારતીય ટીમ પર આતંકવાદી હુમલાનો ખતરો છે
IAએ દિલ્હી પોલીસને બંને ટીમોની સુરક્ષામાં વધારો કરવા કહ્યું
NIAએ બાંગ્લાદેશની વિરુદ્ધ પહેલી ટી20 ઇન્ટરનેશનલ મેચ પહેલા દિલ્હી પોલીસને ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવા કહ્યું છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ T20 મેચોની સીરિઝની શરૂઆત 3 નવેમ્બરથી થઇ રહી છે. ત્યારબાદ બે ટેસ્ટ મેચ પણ રમવામાં આવશે. સીરિઝની પહેલી મેચ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીમાં રમવામાં આવશે.
આ મેચ પહેલા એવી માહિતી આવી રહી છે કે દિલ્હીમાં ભારતીય ટીમ પર આતંકવાદી હુમલાનો ખતરો છે. ત્યારબાદ NIAએ દિલ્હી પોલીસને બંને ટીમોની સુરક્ષામાં વધારો કરવા કહ્યું છે.
આ બેનામ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઝિકોડ સ્થિત 'ઑલ ઇન્ડિયા લશ્કર' ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અરુણ જેટલી સ્ટેડિયમમાં મોજૂદ રાજનેતાઓને નિશાનો બનાવી શકે છે. જો કે કોહલી આ સીરિઝમાં ટીમની સાથે નથી અને રોહિત શર્માને આ ટી20 ઇન્ટરનેશનલ સીરિઝમાં ટીમની કેપ્ટનસી કરશે.
આ પત્રની વિશ્વસનીયતાને લઇને પણ કેટલીક આશંકા છે પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઇ પણ પ્રકારનો ખતરો લેવા ઇચ્છતી નથી. ઉપરાંત મેદાન અને ખેલાડીઓની સુરક્ષામાં પૂરતી વ્યવસ્થા કરી રહી છે.
ભારતીય ટીમને બાંગ્લાદેશની સામેની સીરિઝમાં ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમે તાજેતરમાં સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં 3-0થી હરાવ્યું છે.