સૂર્યકુમાર યાદવનું નામ હાલમાં ઘણું જ ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમમાં સિલેક્ટ ન થવાને કારણે લોકો પણ તેની વાતો કરી રહ્યાં છે.
કોહલી યાદવ વચ્ચે ઇશારાબાજી
યાદવને ન કર્યો ટીમમાં સિલેક્ટ
યાદવે રન બનાવી મૅચ જીતાડી
બુધવારે આરસીબી વિરુદ્ધની મૅચમાં તેણે જોરદાર બેટિંગ કરી. 43 બોલમાં 79 રન બનાવ્યા. ટીમમાં સ્થાન ન મળવાનો જવાબ તેણે પોતાના બેટથી આપ્યો. યાદવની મદદથી મુંબઇએ પાંચ બોલ બાકી રાખીને મૅચ જીતી લીધી.
ટીમ ઇન્ડિયાના કેપ્ટનની ટીમને સૂર્યકુમાર યાદવે શાનદાર જવાબ આપ્યો હતો. મેદાન પર તેણે સંયમ અને ધૈર્ય ગુમાવ્યુ ન હતુ અને હાફ સેન્ચ્યુરી પૂરી કર્યા બાદ તેણે ખુબ આરામથી સેલિબ્રેટ કર્યુ હતુ.
મેચમાં એક સીન એવો આવ્યો જેમાં વિરાટ અને કુમારે નજરોમાં જ વાત કરી લીધી હતી. 13મી ઓવરના છેલ્લા બોલમાં યાદવે ડેન સ્ટેનના બોલ પર કરવર્સમાં શોટ રમ્યો. યાદવ અને કોહલી એક બીજાને જોઇ રહ્યાં હતા અને બાદમાં યાદવ ત્યાંથી જતો રહ્યો.