રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે એ વાત બધા જાણે છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સને IPLમાં ત્રણ વાર વિજેતા બનાવી છે. ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ રોહિતે જ્યારે જ્યારે સંભાળી છે ત્યારે ત્યારે તેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. કદાચ એ જ કારણ છે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી હવે મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમાં રોહિત શર્માને નવી ભૂમિકા સોંપવા ઇચ્છે છે.
વર્લ્ડ કપ પથી ટીમમાં વિવાદની ચર્ચા વચ્ચે રોહિતને આપવામાં આવી જવાબદારી
ટેસ્ટ ટીમમાં પહેલી વખત રોહિતને આપવામાં આવી ઑપનિંગની જવાબદારી
BCCI પણ રોહિતને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહી છે. સાઉથ આફ્રિકા સામે આજે શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવનનું નેતૃત્વ રોહિત શર્મા સંભાળી રહ્યો છે.
ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રણ મેચની T-2૦ સીરિઝ દરમિયાન ઘણી વાર બોલર્સ પાસે જઈને વાતો કરતો નજરે પડ્યો હતો. ટીમ મેનેજમેન્ટના એક સૂત્રએ જણાવ્યું કે વિકેટની પાછળ સલાહ આપવા માટે ધોની ટીમમાં હાજર નથી. આ સ્થિતિમાં કેપ્ટન અને કોચને એવું લાગી રહ્યું છે કે રોહિત જો બોલર્સ સાથે મેચ દરમિયાન ચર્ચા કરતો રહે અને જરૂરી સૂચના આપતો રહે તો તેનાથી ટીમને ઘણી મદદ મળી રહેશે.
સૂત્રના જણાવ્યા અનુસાર ટીમ મેનેજમેન્ટ માનવું છે કે કોહલી અને ધોની ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા, હવે ધોનીની ગેરહાજરીમાં રોહિતે ખેલાડીઓ સાથે સતત વાતો કરવી જોઈએ અને મેદાન પર વધુ સક્રિય રહેવું જોઈએ.
રોહિત ટીમની રણનીતિ બનાવનારા ગ્રૂપનો હિસ્સો છે. કેપ્ટન અને કોચ રોહિત પર વિશ્વાસ રાખે છે. જ્યારે એક સિનિયર ખેલાડી બોલર્સને સમજી શકતો હોય તો તે ટીમ માટે સારું રહેશે. રોહિતની સાથે રમતા એક યુવા ખેલાડીએ જણાવ્યું, ''રોહિત કેપ્ટનની જેમ યુવા ખેલાડીનો સાથ આપે છે. જ્યારે કોઈ સિનિયર અમારા જેવા યુવા ખેલાડીની મદદ કરે છે ત્યારે એનાથી ઘણી મદદ મળે છે. રોહિત મેદાન પર સૂચનો આપતો રહે છે.''