વર્લ્ડ કપ 2019 બાદ ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વનડે તથા ટી-20 સીરીઝ રમવાની છે. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલો મુજબ વેસ્ટ ઈન્ડિઝ સાથે 3 ઓગસ્ટથી શરૂ થનાર આ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્તાન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વર્લ્ડકપ બાદ આરામ આપવામાં આવશે. બુમરાહ અને કોહલીને ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલી વન-ડે સીરિઝ માટે આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટ પછી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જવાની છે. ત્યારે ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ પાસેથી પ્રાપ્ત થયેલા રિપોર્ટ મુજબ કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કારણે અપાઇ શકે આરામ
BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જાણકારી આપતા કહ્યું હતું કે. વિરાટ અને બુમરાહ નિશ્ચિત રુપથી ત્રણ મેચની ટી-20 શ્રેણી અને 3 મેચની વન-ડે શ્રેણી માટે આરામ આપવામાં આવશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પછી સતત રમી રહ્યો છે.
આ બંન્ને ટેસ્ટ સિરીઝ માટે ટીમની સાથે જ રહેશે, વિરાટ ઓસ્ટ્રેલિયા સિરીઝથી સતત રમતો આવ્યો છે. અધિકારીના કહ્યા મુજબ લાંબા વર્લ્ડ કપ બાદ કેટલાક અન્ય ખેલાડીઓને પણ આ સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા જો ફાઇનલમાં પહોંચે છે તો ટીમના મુખ્ય ખેલાડીઓ 14 જુલાઇ સુધી રમશે. આ લાંબી ટૂર્નામેન્ટ બાદ કેટલાક બેટ્સમેન તથા કેટલાક બોલરોને આરામ આપવો જરૂરી છે.