નિર્ણય / વેસ્ટ ઇન્ડીઝ સામે કોહલી અને બુમરાહ નહીં રમે, આ છે કારણ

virat kohli and jasprit bumrah will not play one day series in West Indies

વર્લ્ડ કપ 2019 બાદ ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વનડે તથા ટી-20 સીરીઝ રમવાની છે. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલો મુજબ વેસ્ટ ઈન્ડિઝ સાથે 3 ઓગસ્ટથી શરૂ થનાર આ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્તાન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને  વર્લ્ડકપ બાદ આરામ આપવામાં આવશે. બુમરાહ અને કોહલીને ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલી વન-ડે સીરિઝ માટે આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ