આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે હાર્યા બાદ બહાર થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન બનવા સાથે જ ટૂર્નામેન્ટ ખતમ થઇ ગઇ છે. પરંતુ ભારતીય ક્રિકેટર હજુ પણ ઇંગ્લેન્ડમાં છે.
સેમીફાઇનલમાં ભારતની હારે કરોડો ભારતીયોનું દિલ તોડી નાંખ્યું. સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સે વિરાટ અને અનુષ્કાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
એક વખત ફરીથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફેન્સના નિશાના પર આવી ગયા. બંને લંડનમાં જ છે અને સાથે સમય વિતાવી રહ્યા છે.
ભારતની વર્લ્ડકપ સફર પૂર્ણ થયા બાદ પણ ટિકીટ નહીં મળવાને કારણે ટીમ ઇન્ડિયા લંડનમાં જ રોકાયેલી છે. જો કે ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન રોહિત શર્મા પોતાની પત્ની અને પુત્રી સાથે મુંબઇમાં પરત ફર્યો છે.
નારાજ ફેન્સે હવે એવી માંગ કરી દીધી છે કે વિરાટ કોહલીને હટાવીને રોહિત શર્માને વનડે અને ટી 20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઇએ.
એક ફેન્સે લખ્યું, 'રોહિત શર્મા વિરાટ કોહલીથી સારો કેપ્ટન છે, જેને પોતાની કેપ્ટનસીને આઇપીએલમાં પણ સાબિત કરી. મુંબઇ ઇન્ડિયન ચેમ્પિયન છે. કોહલી સારો બેટ્સમેન છે પરંતુ સારો કેપ્ટન નથી.'
બીજા ફેન્સે લખ્યું વિરોટ કોહલીને હટાવીને રોહિતને કેપ્ટન બનાવો.
એક ફેન્સે લખ્યું, 'અમને અહીંયા હજુ અટેક આવી રહ્યો છે અને આ ફરી રહ્યો છે.'
તો બીજાએ લખ્યું, 'એ ત્યાં ફરી રહ્યો છે અને અમે અહીંયા દુ:ખ મનાવી રહ્યા છીએ.'
જણાવી દઇએ કે ભારતની પાસે વર્લ્ડકપ જીતવાની સારી તક હતી, પરંતુ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઇન્ડિયાને ચોંકાવતા વર્લ્ડકપમાંથી બહાર કરી દીધી. હવે આગળના વર્લ્ડકપ માટે ભારતે 2023 સુધી રાહ જોવી પડશે.