ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે 49 રનની તાબડતોડ ઈનિંગ રમી. વિરાટ કોહલી અહીં પોતાની અર્ધસદી પૂરી કરી શક્યા નથી. તેમની પાસે તક જરૂર હતી. પરંતુ છેલ્લી ઓવરમાં તેમણે દિનેશ કાર્તિકને સ્ટ્રાઈક આપી અને રન બનાવવા કહ્યું. જેના માટે ક્રિકેટ પ્રેમીઓ વિરાટના ખૂબ વખાણ કરી રહ્યાં છે.
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે 49 રનની તાબડતોડ ઈનિંગ રમી
તેમની પાસે તક હતી, તેમ છતા દિનેશ કાર્તિકને સ્ટ્રાઈક આપી
ક્રિકેટ પ્રેમીઓએ વિરાટના કર્યા ભરપૂર વખાણ
ભારત અને સાઉથ આફ્રિકાની બીજી ટી-20માં ભારતીય ટીમની જીત
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રવિવારે યોજાયેલી બીજી ટી-20માં રનનો વરસાદ જોવા મળ્યો. આખી મેચમાં આશરે 450ની નજીક રન બન્યાં. ડેવિડ મિલરે સદી પણ ફટકારી. પરંતુ અંતમાં ભારતીય ટીમે 16 રનથી જીત પ્રાપ્ત કરી અને સીરીઝ પણ પોતાના નામે કરી. આ દરમ્યાન વિરાટ કોહલીનો એક અંદાજ ક્રિકેટ પ્રેમીઓને ખૂબ પસંદ આવી રહ્યો છે, જ્યારે તેમણે ટીમના સ્કોર માટે પોતાની અર્ધસદીને ઠુકરાવી દીધી.
વિરાટ કોહલીએ 28 બોલમાં 49 રનની ઈનિંગ રમી
સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની તોફાની ઈનિંગ વચ્ચે વિરાટ કોહલીની ધમાકેદાર ઈનિંગ પર ઘણા ઓછા લોકોનુ ધ્યાન ગયુ. વિરાટ કોહલીએ 28 બોલમાં 49 રનની ઈનિંગ રમી. જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટે પણ તેની ઈનિંગમાં 175ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યાં અને તાબડતોડ બેટીંગ કરી.
વિરાટ કોહલીને સ્ટ્રાઈક અંગે પૂછવામાં આવ્યું તો આપ્યો આ જવાબ
ભારતની ઈનિંગની જ્યારે 20મી ઓવર શરૂ થઇ ત્યારે વિરાટ કોહલી 49 રને નોટઆઉટ હતા. પરંતુ સ્ટ્રાઈક દિનેશ કાર્તિકની પાસે હતી. કાર્તિકે અહીં રનનો વરસાદ શરૂ કર્યો. પરંતુ જ્યારે માત્ર બે જ બોલ બાકી હતા ત્યારે વિરાટ કોહલીને સ્ટ્રાઈક અંગે પૂછવામાં આવ્યું, કારણકે તે 49 રને નોટઆઉટ હતો અને તેની પાસે પોતાની અર્ધસદી પૂરી કરવાની તક હતી. પરંતુ વિરાટ કોહલીએ દિનેશ કાર્તિકને ના પાડી અને સ્પષ્ટ કહ્યું કે તેઓ બેટીંગ કરે અને અર્ધસદીની ચિંતા ના કરે. દિનેશ કાર્તિક કારણકે તે વખતે સારું રમી રહ્યાં હતા અને તેના બીજા બોલે જ દિનેશ કાર્તિકે છગ્ગો ફટકાર્યો. દિનેશ કાર્તિકે ભારતની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યાં. વિરાટ કોહલી 49 રને અણનમ રહ્યાં.
Virat Kohli just told Dinesh Karthik to continue the hitting, great and selfless gesture by the King! pic.twitter.com/7N99XGTqC3
રેકોર્ડ નહીં, પરંતુ ટીમની જીત માટે રમુ છુ: વિરાટ કોહલી
વિરાટ કોહલીના આ ગેસ્ચરના દરેક માણસ વખાણ કરી રહ્યું છે, બીસીસીઆઈએ પણ પોતાનો વીડિયો ટ્વિટ કર્યો. પ્રશંસકોએ લખ્યું કે વિરાટ કોહલીએ ટીમના સ્કોર માટે પોતાની અર્ધસદીને કુરબાન કરી દીધી, જે જણાવે છે કે રેકોર્ડ નહીં પરંતુ ટીમની જીત માટે રમે છે.