એક ઇંટરવ્યૂમાં વિરાટ કોહલીએ પોતાના જીવનની સૌથી અંગત વાત કહી હતી.
કોહલીએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી
એમી એવોર્ડ વિજેતા પત્રકાર ગ્રાહમે આ ઇંટરવ્યૂ લીધો હતો
પપ્પાનું સપનું હતું કે હું દેશ માટે રમું
કોહલીએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી
વર્લ્ડ ક્રિકેટના ત્રણેય ફોર્મેટના મહારથી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાના પરફોર્મન્સના કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં આગવું નામ ધરાવે છે. ક્રિકેટ જગતના ઘણા બધા રેકોર્ડ તેમના નામે કર્યા છે, પણ શું તમને ખ્યાલ છે ખરી કે કોહલીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે? સૌથી પહેલી અને દુખદ વાત એ છે કે કોહલીએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પોતાના પિતાને બચાવવા માટે તેણે ઘણી બધી જગ્યાએ મદદ માંગી હતી, પણ કોઈએ મદદ કરી નહીં. આ વાત ખુદ વિરાટ કોહલીએ કહી હતી.
એમી એવોર્ડ વિજેતા પત્રકાર ગ્રાહમે આ ઇંટરવ્યૂ લીધો હતો
એક ઇંટરવ્યૂમાં વિરાટ કોહલીએ પોતાના જીવનની સૌથી અંગત વાત કહી હતી. અત્યંત દુખ સાથે વિરાટે કહ્યું એ ઘટનાએ તેની જિંદગી બદલાઈ ગઈ. એમી એવોર્ડ વિજેતા પત્રકાર ગ્રાહમે આ ઇંટરવ્યૂ લીધો હતો. તેમાં તેણે કહ્યું હતું કે પોતાના પિતાના મોત બાદ તેની માનસિક સ્થિતિ સારી ન્હોતી. તમને જણાવી દઈએ કે 19 ડિસેબર 2006માં વિરાટના પિતા પ્રેમ કોહલીનું 54 વર્ષની ઉંમરમાં જ નિધન થઈ ગયું હતું. તે સમયે વિરાટની ઉંમર માત્ર 18 વર્ષની જ હતી અને તે સમયે તે દિલ્હીમાં રણજી ટ્રોફી રમી રહ્યો હતો. દિલ્હીની આ મેચ કર્ણાટકની સામે રમવામાં આવી હતી. તે વખતે કોહલીએ 90 રનની બેટિંગ રમી હતી. આ મેચ રમ્યા બાદ તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
પપ્પાનું સપનું હતું કે હું દેશ માટે રમું
કોહલીએ કહ્યુંકે તેણે પોતાની સામે જ તેના પિતાને છેલ્લા શ્વાસ લેતા જોયા. પિતાની મોતના દુખની અસર તેની ઝીંદગી પર પણ થઈ. આ સમયે કોહલીએ પોતાના ભાઈને કહ્યું કે દેશ માટે રમવા માંગે છે અને તેના પિતાનું પણ એ જ સપનું હતું. કોહલીએ કહ્યું "હું રણજી ટ્રોફીની મેચ રમી રહ્યો હતો અને મારા પિતા અમને છોડીને ચાલી ગયા, મારે બીજા દિવસે ટીમ માટે રમવાનું હતું. રાત્રે ત્રણ વાગ્યે પપ્પાને છેલ્લા શ્વાસ લેતા જોયા. હું આસપાસના ઘણા બધા ડોકટરો પાસે ગયો પણ કોઈએ અમારી મદદ કરી નહીં. પછી અમે તેમને હોસ્પિટલ લઈને ગયા, પણ ડૉક્ટર તેમણે બચાવી શકયા નહીં. પરિવારના બધા જ લોકો રોઈ રહ્યા હતા, તે બધા જ દુખી હતા પણ હું એક દમ સુન્ન હતો. બસ આ જ વાત મારા મનમાં ઘણું દુખ પહોંચાડી ગઈ, કારણકે પપ્પાનું સપનું હતું કે હું દેશ માટે રમું. પિતાની મોતથી જ હું ખરાબ સમયનો સામનો કરતાં શીખ્યો.