કોરોના મહામારીમાં ઘણા બધા લોકો જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે અને આ લિસ્ટમાં ભારતના ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પણ નામ સામેલ છે
ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને આર્થિક મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ 17 મે એ ટ્વિટ કરીને તેલંગાણાના કેબિનેટ મંત્રી કે. ટી. આર રાવ પાસે મદદ માંગી
હમણાં જ એક ઇંટરવ્યૂમાં પણ વિરાટે પોતાની અંગત વાત લોકો સમક્ષ કરી હતી
ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને આર્થિક મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
કોરોના મહામારીમાં ઘણા બધા લોકો જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે અને આ લિસ્ટમાં ભારતના ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પણ નામ સામેલ છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને આર્થિક મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટ અનુસાર કોહલીએ કે.એસ શ્રાવંથી નાયડુની માતાના ઈલાજ માટે 6.77 લાખ રૂપિયાની મદદ કરી છે. તેના આ કામથી ખુશ થઈને લોકો વિરાટની તારીફ કરી રહ્યા છે. ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ ટ્વિટ કરી શ્રાવંથી નાયડુની માતાને મદદ કરવા માટેની અપીલ કરી હતી. આ વાંચીને વિરાટે તરતજ તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.
ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ 17 મે એ ટ્વિટ કરીને તેલંગાણાના કેબિનેટ મંત્રી કે. ટી. આર રાવ પાસે મદદ માંગી
ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ 17 મે એ ટ્વિટ કરીને તેલંગાણાના કેબિનેટ મંત્રી કે. ટી. આર રાવ પાસે મદદ માંગી હતી. ટ્વિટ કરતાં તેમણે લખ્યું હતું કે, " ભારત અને હૈદરાબાદની ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કે.એસ શ્રાવંથી નાયડુની માતા અને પિતા બંને કોરોના સામે લડી રહ્યા છે. તે પહેલા જ 16 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે અને હજી પણ વધારે પૈસાની જરૂર છે, જેથી તેમની સારવાર હોસ્પિટલમાં થઈ શકે. તેમને આપણાં સપોર્ટની જરૂર છે, પ્લીઝ તેમની મદદ કરો. આ બાદ વિરાટે તરત જ તેમની મદદ કરી હતી.
હમણાં જ એક ઇંટરવ્યૂમાં પણ વિરાટે પોતાની અંગત વાત લોકો સમક્ષ કરી હતી
એક ઇંટરવ્યૂમાં વિરાટ કોહલીએ પોતાના જીવનની સૌથી અંગત વાત કહી હતી. અત્યંત દુખ સાથે વિરાટે કહ્યું એ ઘટનાએ તેની જિંદગી બદલાઈ ગઈ. એમી એવોર્ડ વિજેતા પત્રકાર ગ્રાહમે આ ઇંટરવ્યૂ લીધો હતો. તેમાં તેણે કહ્યું હતું કે પોતાના પિતાના મોત બાદ તેની માનસિક સ્થિતિ સારી ન્હોતી. તમને જણાવી દઈએ કે 19 ડિસેબર 2006માં વિરાટના પિતા પ્રેમ કોહલીનું 54 વર્ષની ઉંમરમાં જ નિધન થઈ ગયું હતું. તે સમયે વિરાટની ઉંમર માત્ર 18 વર્ષની જ હતી અને તે સમયે તે દિલ્હીમાં રણજી ટ્રોફી રમી રહ્યો હતો. દિલ્હીની આ મેચ કર્ણાટકની સામે રમવામાં આવી હતી. તે વખતે કોહલીએ 90 રનની બેટિંગ રમી હતી. આ મેચ રમ્યા બાદ તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.