ટીમ ઇન્ડિયા આજથી શ્રીલંકાના પ્રવાસે જવા રવાના થઇ રહી છે. આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટેસ્ટ 5 વન ડે અને એક ટી-20 મેચ રમાશે. વિરાટ કોહલીની નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયા આ વખતે નવા કોચિંગ સ્ટાફ સાથે વિદેશ પ્રવાસે જઇ રહી છે. આ વખતે વિરાટ કોહલીના મનપસંદ રવિ શાસ્ત્રી હવે ટીમના કોચ છે. તેની સાથે રવિ શાસ્ત્રીનો મનપસંદ કોચિંગ સ્ટાફ પણ ટીમ સાથે છે.
ટીમ ઇન્ડિયાના નવા કોચ રવિ શાસ્ત્રી શ્રીલંકા પ્રવાસે જતા પહેલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે એકવાર ફરી ત્યાંથી હું શરૂઆત કરીશ જ્યાંથી મે છોડ્યું હતું. ટીમ ઇન્ડીયા છેલ્લા ત્રણ વર્ષથી સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડીયા નંબર 1 બની છે. આ નંબર 1 માટે તેમને ક્રેડિટ મળે છે કે જેઓ ગત ત્રણ વર્ષથી અત્યાર સુધી ટીમ ઇન્ડીયાની સફળતામાં પોતાનો મહત્વનો રોલ ભજવ્યો છે.
ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રીના કોચિંગ મુદ્દે જણાવ્યું હતું કે મે અને રવિ શાસ્ત્રીએ છેલ્લા ત્રણ વર્ષ 2014 2015 અને 2016માં સાથે કામ કર્યું છે એટલે અમારા બંને વચ્ચે તાલમેલ ઘણો બેસી ગયો છે જેના લીધે હવે મને નથી લાગતું કે હવે કંઇ નવું સમજવાની જરૂરિયાત છે.
ટીમ ઇન્ડિયાની તૈયારી અને ટીમ સાથેના વ્યવહાર અંગે વાત કરતા વિરાટ કોહલીએ જણાવ્યું કે મારા હાથમાં માત્ર બેટ હોય છે અને મારૂ કામ મેદાનમાં જઇને રન બનાવાનું હોય છે. હું મેદાનમાં જેના પર નિયંત્રણ કરી શકું છું તેના પર ફોકસ કરું છું. મેં ગત છેલ્લા થોડા મહીનાથી આમ જ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. ઘણી બધી અફવાઓ અને કેટલીક વાતો હોય છે. જે મારા નિયંત્રણમાં નથી હોતી. મારૂ કામ મેદાનમાં જઇને ટીમથી સવ્રશ્રેષ્ઠ પ્રદર્શન કરાવાનું હોય છે અને ટીમ મેનેજમેન્ટની સાથે મળીને પોતાની ક્ષમતોનુ શ્રેષ્ઠ ઉપયોગ કરવાનુ થાય છે. જેમા હુ વિશ્વાસ રખુ છુ.
ભરત અરૂણનો રેકોર્ડ શાનદારઃ શાસ્ત્રી
ભરત અરૂણને ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બનાવાના મુદ્દે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે તેમને છેલ્લા 15 વર્ષોનો કોચિંગનો અનુભવ છે. વર્લ્ડ કપ 2015માં ટીમ ઇન્ડિયાના બોલરોની શાનદાર પ્રદર્શન પર નજર કરીએ તો સમગ્ર ટુર્નામેન્ટમાં 80માંથી 77 વિકેટ લીધી હતી.
શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ
ટીમ ઇન્ડિયા પોતાના શ્રીલંકા પ્રવાસ દરમિયાન 21 અને 23 જુલાઈએ પ્રેક્ટિસ મેચ રમશે. ત્યાર બાદ 26 જુલાઈથી 16 ઑગસ્ટ સુધી તેમને ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. આ દરેક મેચ ઇન્ડિયન સમય અનુસાર 10 વાગે શરૂ થશે. તેના પછી 20 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી 5 વન ડે મેચ રમાશે. ત્યાં જ માત્ર ટી-20 મેચ 6 સપ્ટેમ્બરે રમવામાં આવશે.