ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર અને હાલનાં ટીમ સિલેક્ટર સરણદીપ સિંહએ જણાવ્યું કે મેદાનની બહાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો મિજાજ એકદમ જુદો છે.
વિરાટ ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ એકદમ જુદો
દરેક ખેલાડી તેને માન આપે છે
વિરાટ અનુષ્કા સાથે બેસીને ખૂબ વાતો કરે છે
વિરાટને વિપક્ષી ટીમ છંછેડવાની ગુસ્તાખી નથી કરતી
ટીમ ઈન્ડિયાનાં હાલનાં કેપ્ટન વિરાટ કોહલીને આક્રામક ખેલાડી તરીકે ગણવામાં આવે છે. કોહલી તેનો આ મિજાજ તેની બેટીંગમાં પણ દર્શાવે છે. મેચમાં વિપક્ષની ટીમ તેને કામ વગર છંછેડતી નથી કેમકે તે ગુસ્સામાં વધારે સારુ પરફોર્મન્સ આપે છે.
ઓફ ગ્રાઉન્ડ વિરાટનો મિજાજ જુદો
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર અને હાલનાં સિલેક્ટર સરણદીપ સિંહે એક વિરાટ કોહલી અંગે એવો ખુલાસો કર્યો છે કે, મેદાનની બહાર વિરાટ કોહલીનો મિજાજ એકદમ જુદો છે. લોકો જેવુ તેનાં વિશે વિચારે છે તેવો તે જરા પણ નથી. વિરાટ જમીનથી જોડાયેલો વ્યક્તિ છે.
અનુષ્કા જાતે બનાવે છે જમવાનું
સરણદીપે જણાવ્યું કે, વિરાટનાં મુંબઈનાં મકાનમાં કોઈ નોકર નથી. તેની પત્ની અનુષ્કા શર્મા પોતે બધા માટે જમવાનું બનાવે છે. કોહલી તેની સાથે બેસીને વાત કરે છે અને સાથે ડિનર કરે છે. દરેક ખેલાડી તેનું ખૂબ માન રાખે છે. વિરાટ અને અનુષ્કાએ તેની દિકરીનું નામ વામિકા રાખ્યુ છે. દિકરીનાં જન્મ વખતે પણ વિરાટ તેની પત્ની સાથે રહ્યો હતો.