વિધાનસભાની ચૂંટણીમાં 39 વિરમગામ બેઠક વધુ ચર્ચામાં રહી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા
વિધાનસભાની બહુચર્ચિત બેઠક વિરમગામ બેઠક પર હાર્દિક પટેલની જીત થ
હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
વિસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત બેઠક વિરમગામ બેઠક પર હાર્દિક પટેલની જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 39 વિરમગામ બેઠક વધુ ચર્ચામાં રહી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગેસે લાખાભાઈ ભરવાડને ફરીથી રિપીટ કર્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને ટિકિટ આપી હતી. વિરમગામ વિધાનસભા બેઠક એ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ભાજપને સત્તાથી દૂર રાખવા અહીં કોંગ્રેસ સફળ રહી છે.
વિરમગામ વિધાનસભામાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધારે
વિરમગામ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. વિરમગામ તાલુકો, દેત્રોજ – રામપુરા તાલુકો અને માંડલ તાલુકો. 2012 પહેલા વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. આ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, ક્ષત્રિય મતદારોનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. વિરમગામ મત વિસ્તારના કુલ મતદારો 3.02 લાખ છે. જેમાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધુ 95 હજારથી વધુ છે. જ્યારે પાટીદાર મતદારોની સંખ્યા 38 હજારથી વધારે છે.
2012માં ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતા
આ પહેલાં વર્ષ 2012માં આ બેઠક કોંગ્રેસના ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતાં. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી. તેઓ 2017ની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યાં હતાં.
2017માં હારી ગયા હતા તેજશ્રીબેન
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548 મતોથી વિજય મેળવ્યો હતો.
ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો
તેજશ્રીબેન એક ખૂબ સારાં વક્તા અને સામાજિક કાર્યકર હતાં, પરંતુ પક્ષપલટો કર્યા બાદ વિરમગામ વિધાનસભાના લોકોએ તેમને સ્વીકાર્યાં ન હતાં. આ પરથી એવું લાગે છે કે વિરમગામના લોકો પક્ષપલટો કરનાર ઉમેદવારોનો સ્વીકાર કરતા નથી.
હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.
આ વખતે વિરમગામથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.