વિરમગામમાં વિકૃત હાલતમાં મળેલા પુરુષના મૃતદેહ નો ભેદ ઉકેલાયો. પત્નીના 20 વર્ષ જુના પ્રેમ સંબંધની જાણ થતાં પતિએ સાળા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યા કરીને લાશનો નિકાલ કર્યો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હત્યા કેસમાં 6 આરોપીની કરી ધરપકડ. પત્નીના લગ્ન પહેલાના પ્રેમસંબંધના કારણે પૂર્વયોજિત કાવતરું ઘડીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું.
પતિએ પત્નીના 20 વર્ષ જુના પ્રેમીની કરી હત્યા
અઘોરી ને હસ્તરેખા બતાવતા શંકા ઉપજી
સાળા - બનેવીએ હત્યાને આપ્યો અંજામ.
પોલીસે હત્યા કેસમ 6 ની કરી ધરપકડ
6 નવેમ્બર વિરમગામ માલવણ રોડ પર નમર્દા કેનાલ ની કુંડી માંથી 40 વર્ષ ના અજાણ્યા પુરુષ ની વિકૃત હાલત માં મૃતદેહ મળ્યો હતો. આ કેસનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ ઉકેલી કાઢ્યો. અને યુવકની હત્યા કરનાર 6 શખ્સોની ધરપકડ કરી. સમગ્ર ઘટના ની વાત કરીએ તો મરનાર રાજુ હાડા મૂળ ભાવનગર નો વતની હતો..20 વર્ષ જુના પ્રેમ સંબંધ ને લઈને તેની પૂર્વ પ્રેમિકા ના પતિ શેલા ભરવાડે અને ભાઈ દોલા ભરવાડએ હત્યા કરીને લાશ નર્મદા કેનાલ ની કુડી માં ફેંકી દિધી. શેલા ભરવાડ, સાળો દોલા ભરવાડ, ભરત ભરવાડ, મહેશ ભરવાડ, રમેશ મારવાડી અને પ્રતિક શેટ્ટીની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટેકનીકલ સેલની મદદથી ઝડપી લીધા.
નિર્દોષ મીઠીએ પતિ પર વિશ્વાસ રાખીને 20 વર્ષ જૂના પ્રેમ વિશે જણાવ્યુ
આ પ્રેમ કહાનીની વાત કરીએ તો મૃતક રાજુ હાડાનુ મોસાળ આણંદ ના ભેટાસી ગામ માં હતું.. 20 વર્ષ પહેલાં મોસાળ માં રહેતી મીના ઉર્ફે મીઠી ભરવાડ સાથે પ્રેમ થઈ ગયો. પરંતુ જ્ઞાતિ જુદી જુદી હોવાથી બન્ને સમંતીથી છુટા પડયા. મીઠીએ પોતાની મિત્ર જ્યોત્સના સાથે પ્રેમી રાજુ ના લગ્ન કરાવ્યા અને પોતે સુરત ના શેલા ભરવાડ સાથે લગ્ન કરીને દામ્પત્યજીવનને શરૂ કર્યુ. મીઠી અને રાજુ પોતાનુ દામ્પત્યજીન સુખીથી પસાર કરી રહયા હતા. પરંતુ 6 મહિના પહેલા મીઠી તેના પતિ શેલા ભરવાડ અને તેમના મિત્રો સાથે ઉજ્જેન દર્શન કરવા ગઈ. ત્યારે એક અઘોરીએ હસ્તરેખા જોઈને મીઠીના જીવનમા ભુતકાળમા કોઈ પુરુષ હોવાની વાત શેલાને કરી. જેથી શેલાના મનના શંકા શરૂ થઈ. હત્યાના થોડા દિવસ પહેલા શેલાએ માતાજીના નામે મીઠીને ભુતકાળ વિશે પુછ્યુ. નિર્દોષ મીઠીએ પતિ પર વિશ્વાસ રાખીને 20 વર્ષ જૂના પ્રેમ વિશે જણાવ્યુ. અને બન્ને દપંતી વચ્ચે મનદુખ શરૂ થયુ. આ મામલો મીઠીના પિયર પહોચતા જ સાળા દોલા ભરવાડ અને શેલાએ હત્યાનુ કાવતરૂ રચ્યુ હતુ.
રાજુ કઈ બોલે તે પહેલાં તેના માથા પર દંડો મારીને બેભાન કરી દીધો
પત્નીના પૂર્વ પ્રેમીની જાણ થતા શેલા હત્યાનુ ષંડયત્ર રચી લીધુ. એક નવેમ્બરના રોજ રાજુના સસરાની તબિયત ખરાબ હોવાના કારણે તે તેની પત્નીને લઈને આણંદ ગયો હતો. ત્યારે શેલા અને દોલાએ રાત્રીના સમયે તેની પર ફાયરીંગ કર્યુ. પરંતુ રાજુ બચી ગયો. જયારે બીજા દિવસે આણંદમાં પત્નીને ઉતારીને રાજુ બાઇક લઈને ભાવનગર જવા રવાના થયો હતો ત્યારે સાળા-બનેવી અને તેના મિત્રોએ બોટાદ પાસે રાજુની બાઈકને આંતરીને ઉભી રાખી હતી. રાજુ કઈ બોલે તે પહેલાં તેના માથા પર દંડો મારીને બેભાન કરી દીધો હતો. રાજુને કારમાં બેસાડીને તેને બેરહેમી પૂર્વક મારીને મોઢું છુંદી દીધું હતું અને તેની લાશને વિરમગામ પાસે અવાવરું જગ્યા પર ફેંકી દીધી હતી. પરંતુ પોલીસ માટે લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી જેથી થોડેક દૂર એક આધાર કાર્ડ મળ્યું હોવાથી પોલીસને એક કડી મળી હતી. આધાર કાર્ડના આધારે તપાસ કરી તો લાશ રાજુની હોવાનું સામે આવ્યું હતું. રાજુના ગુમ થવા અંગે આણંદમાં જાણવાજોગ ફરિયાદ થઈ હતી.
અઘોરીની વાતમા શેલાએ રાજુની હત્યા કરી
અંધશ્રધ્ધામા એક અઘોરીની વાતમા શેલાએ રાજુની હત્યા કરીને બે પરિવારનુ જીવન બરબાદ કર્યુ. અને પોતાને પણ જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો. હાલમા એલસીબીએ હત્યા કેસમા 6 આરોપીની ધરપકડ કરીને આણઁદ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.