અમદાવાદના નરોડા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ફટાકડાના વેપારીઓને દેવી દેવતાના ફોટા વાળા ફટાકડા ન વેચવા ફરમાન કર્યું છે.
અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદની દાદાગીરી
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ફટાકડાવા વેપારીઓને આપી ધમકી
અમદાવાદના નરોડા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જે ઘણો ચર્ચાનો મુદ્દો બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના લોકો ફટાકડાના સ્ટોલમાં ઘૂસી ગયા હતા. જ્યા તેમણે જે પણ ફટાકડા પર દેવી દેવતાના ફોટા હતા તે ફોટા ન વેચવા માટે ફરમાન આપ્યું હતું. જેને લઈને આ મુદ્દો હવે બરાબરનો વણસ્યો છે.
ફટાકડા ન વેચવા આપી ધમકી
ફટાકડા સ્ટોલ પર જઈને તેમણે વેપારીઓને ફટાકડા ન વેચવા માટે ધમકી આપી છે. સાથેજ તેમણે દેવીદેવતાના ફોટાવાળા ફટકડા વેચ્યા તો ફરિયાદ કરવાની ધમકી આપી છે. પોલીસ ફરિયાદની ધમકીને લઈને વેપારીઓમાં ભય ફેલાઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે કંપની દેવી દેવતાના ફટાકડા બનાવીને વેચે તો તેમા અમારો શું વાંક ?