કોરોનાને રોકવા માટે શિવ મંદિરમાં ચાલી રહેલા મહામૃત્યુંજય જાપ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે એક સાપ શિવલિંગ અને નંદી પર આવીને લપેટાઇ ગયો હતો. આ આશ્ચર્યજનક ઘટના મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની છે.
મધ્યપ્રદેશના રાયસેનના એક શિવ મંદિરમાં અચાનક આવ્યો સાપ
પહેલા નંદી પર અને પછી શિવલિંગ પર લપેટાયો
શ્રદ્ધાળુઓને થયું આશ્ચર્ય
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં કોરોના મહામારીને રોકવા માટે 2 મહિનાથી શિવ મંદિરનો જાપ ચાલી રહ્યો છે. ત્યાંના શિવાલયમાં 6 ફૂટ લાંબો સાપ આવી ચડ્યો હતો.
2 મહિનાથી ચાલી રહ્યા શિવજાપ
રાઇસેન જિલ્લાના ઉદેપુરામાં કૃષિ ઉપજામંડીમાં રામેશ્વર શિવધામ બનાવવામાં આવ્યું છે, જ્યાં સચિન કૃષ્ણ શાસ્ત્રી દ્વારા કોરોના મહામારીને રોકવા માટે મહામૃત્યુંજય જપ બે મહિનાથી ચાલી રહ્યો છે.
6 ફૂટ લાંબો સાપ અચાનક આવી ચડ્યો
જાપ દરમિયાન, 6 ફૂટ લાંબો કાળો સાપ પહેલા મંદિરના નંદી સાથે અને ત્યારબાદ શિવલિંગ સાથે લપેટાઇ ગયો હતો, પૂજા જાપ તે સમયે પણ ચાલુ રહ્યો હતો અને લોકો તેને જોઇને એકઠા થયા હતા.
મંદિરમાં રહેલા શ્રધ્ધાળુઓ ચોંક્યા
આ મામલે મંદિરના મુખ્ય પૂજારી સચિન કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધ સ્થાન છે. જ્યારે સાપ શિવલિંગ અને નંદી ફરતે લપેટાઇ ગયો ત્યારે લોકો પણ આ ઘટના જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં જ સાપ ત્યાંથી ચાલ્યો હતો.