નોળિયાના હુમલામાં મરી ગયેલી નાગિનની યાદમાં શોક કરી રહેલા નાગરાજ માથા પછાડતા જોવા મળ્યાં હતા.
નાગ અને નાગિનના અમર પ્રેમનો વીડિયો
નોળિયાના હુમલા મરી ગઈ નાગિન
નાગરાજ માથું પછાડવા લાગ્યા
સાપ અને નોળિયા વચ્ચેની લડાઈની બધાને ખબર છે. નાગના મોત બાદ નાગિનનો હુમલો કે નાગિનના મોત પર નાગનો વિયોગની વાતો તમે ફિલ્મોમાં જોઈ હશે પરંતુ હવે યુપીના બદાયુમાં આ વાત સાચી પડી છે જેમાં નોળિયાના હુમલામાં મારી ગયેલી નાગિનના મોતનો આઘાત સહન કરવો નાગરાજ માટે ભારે પડ્યો અને તેમણે પોતાની જાતને લોહીલૂહાણ કરી દીધી હતી.
नाग और नेवले की लड़ाई आपने फिल्मों में बहुत बार देखी होगी। लेकिन ऐसा हकीकत में भी देखने को मिला है। यूपी में नेवले के हमले में नागिन की जान चली गई। नागिन की मौत से दुखी नाग ने खुद को भी लहूलुहान कर लिया। इसका वीडियो वायरल हो रहा है।#naagnagin#snakevideo#naagvideopic.twitter.com/lI4PaDbEiH
નોળિયાના વારંવારના હુમલાથી નાગિનનું મોત
મામલો બિલસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગલા ડલ્લુ ગામનો છે. ગામની સીમમાં ખેતરમાં એક માણસની સમાધિ
પાસે નાગ-નાગિનની જોડી ઘણા વર્ષોથી રહેતી હતી પરંતુ આજદિન સુધી આ દંપતીએ કોઈને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ છેલ્લા બે દિવસથી એક નોળિયા તેમની પાછળ પડ્યો હતો અને તેણે નાગિન પર હુમલો શરુ કર્યો હતો અને આખરે નોળિયાના વારંવારના હુમલાને કારણે નાગિને પોતાના પ્રાણ ત્યજી દીધા હતા.
માશૂકાના વિયોગમાં નાગરાજ ફેણ પછાડવા લાગ્યા
નાગિનના મોતના થોડા સમય બાદ નાગરાજ રાફડામાંથી બહાર આવ્યાં અને પોતાની માશૂકાને મરેલી જોઈને ભારે આઘાત પામ્યા અને જાણે કહેતા હોય કે હવે મારે જીવીને શું કામ છે, મારી જીવનસાથી તો મને એકલો મૂકીને ચાલી નીકળી અને આટલું કહીને જાણે પોતે પણ નાગિનના વિયોગમાં મરી જવા માગતો હોય તેમ ફેણ જમીન પર પછાડવો લાગ્યો હતો.
અજીબ દ્રશ્ય જોવા લોકોના ટોળા વળ્યાં
માશુકાના મોત પર શોક મનાવી રહેલા નાગરાજને જોઈને લોકો પણ અચંબિત થયા હતા અને આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યાં હતા. હવે નાગરાજને આવું કરતા કોણ અટકાવે કારણે કે તેની નજીક જવામાં જીવનું જોખમ રહેતું હોય છે.