એક તરફ દેશભરમાં વિજયા દશમી ઉત્સવને લઇને રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં એક અજુગતી ઘટના બનવા પામી હતી. રાવણ દહનના કાર્યક્રમ પહેલા જ રાવણ ધરાશાયી થયો હતો.
રાવણ દહન પહેલા હોનારત થતાં અટકી
ભારે પવન સાથે 70 ફૂટ ઉંચો રાવણ થયો ધરાશાયી
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, સુરતમાં યોજાયેલ રાવણ દહનના કાર્યક્રમને વિશાળ જન મેદની શહેરના મોટા મેદાનમાં એકત્રિત થઇ હતી. જો કે, કાર્યક્રમ શરૂ થતા પહેલા જ ભારે પવન સાથે વરસાદ વરસતા મેદાનમાં તૈયાર કરવામાં આવેલ 70 ફૂટનો ઉંચો રાવણ ઘરાશાયી થયો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અચાનક રાવણની પ્રતિમા ધરાશાયી થવાની ઘટનાને પગલે મેદાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઇ જાનહાની નહીં થતાં આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાવણ દહન કાર્યક્રમ સમયે બનેલી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દેશભરમાં યોજાયો રાવણ દહનનો કાર્યક્રમ
નોંધનીય છે કે, નવરાત્રિ બાદ આજે દશેરાનો દિવસ હોવાથી દેશભરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે દિલ્હીના દ્વારકામાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાવણ દહનના કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. તેમણે 107 ફૂટના રાવણના પુતળાનું દહન કર્યું હતું.