અમદાવાદના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ હળવા મૂડમાં અખિલેશ યાદવ પર આડ કતરી રીતે નિશાન તાકતા જણાવ્યું હતું કે, જીવતા રહેવું હોય તો વેક્સિન લો નહીંતર ના લો. આ વીડિયો વાયરલ થયો હતો.
મજાકિયા અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે વેક્સિનેશન પર બોલ્યા
અખિલેશ યાદવના નિવેદનને ટાંકીને રામદાસ અઠાવલેનું રસીકરણ પર નિવેદન
જીવતા રહેવું હોય તો વેક્સિન લો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આજરોજ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. પોતાની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખના પિતાનું નિધન થતાં બેસણામાં હાજરી આપવામાં આવેલા અઠાવલેએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા-વિચારણાઓ કરી હતી.
વેક્સિન લેવા મુદ્દે આપ્યું નિવેદન
અમદાવાદના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ હળવા મૂડમાં અખિલેશ યાદવ પર આડ કતરી રીતે નિશાન તાકતા જણાવ્યું હતું કે, જીવતા રહેવું હોય તો વેક્સિન લો નહીંતર ના લો. આ વીડિયો વાયરલ થયો હતો. #Ahmedabad@RamdasAthawalepic.twitter.com/A2DDnHbR0J
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 6, 2021
પોતાના આગવા અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોરોના વેક્સિન મુદ્દે હળવા અંદાજમાં અખિલેશ યાદવ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, જીવતા રહેવું હોય તો વેકસીન લો અને જીવવું ન હોય તો વેક્સીન ન લો.
હળવી રમૂજ માટે જાણીતા છે અઠાવલે
આપને જણાવી દઇએ કે, રામદાસ અઠાવલે સંસદમાં પણ પોતાની હળવી ટીખળ માટે જાણીતા છે. તેઓ વારંવાર કોઇને કોઇ મુદ્દે નિવેદન આપતા રહે છે અને હળવા અંદાજથી સાંસદોને હસાવતા રહે છે. ત્યારે આજે અમદાવાદની મુલાકાતે આવેલા અઠાવલેએ વેક્સિનને લઈને હળવી ટીખળ કરી હતી તેમની આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.