તાપીના ઉચ્છલના મોગરણ ગામે શિક્ષકોની કરતૂત આવી સામે , શાળામાં શિક્ષકોએ નોનવેજ પાર્ટી કરી અને બાળકોને પણ નોનવેજ ખવડાવ્યું
તાપીના ઉચ્છલના મોગરણ ગામની શાળામાં નોનવેજ પાર્ટી
શિક્ષકો જમ્યા બાદ બાળકોને પણ ખવડાવ્યું નોનવેજ
તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત પણ પાર્ટીમાં સામેલ
શાળાને મંદિરની ઉપાધિ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને અહીં શૈક્ષણિકની સાથે સાથે જીવનના પાઠ પણ શીખવવામાં આવે છે.પરંતુ જો શિક્ષણ જ શાળાની મર્યાદા ન જાળવે તો, વિદ્યાર્થીઓ શું શીખવાના ? શિક્ષણ બાળકના જીવવનું ઘડતર કરે છે, જીવનમાં સાચા ખોટાથી વાકેફ કરે છે ત્યારે જો શિક્ષક જ અવળા માર્ગે બાળકને દોરી જાય તો એને શું શિક્ષક કહેવાય ખરા ? આવુ જ બન્યુ છે તાપીની એક શાળામાં .
શાળામાં શિક્ષકોની નોનવેજ પાર્ટી
તાપીના ઉચ્છલના મોગરણ ગામની એક શાળામાં નોનવેજ પાર્ટી થઇ હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. શાળામાં જ શિક્ષકો નોનવેજ ખાઇ રહ્યા છે વળી આટલુ ઓછુ હોય તેમ બાળકોને પણ નોનવેજ ખવડાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને લઇને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. શાળામાં ઇન્સપેક્શની કામગીરી બાદ નોનવેજ પાર્ટી યોજાઇ હતી. ચોંકાવનારી વાત તો એ છે પવિત્ર ચૈત્ર માસના આઠમના દિવસે નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી. પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની આ કરતૂતનો પર્દાફાશ થયો હતો.
તાલુકા શિક્ષણ અધિકારી હતા પાર્ટીમાં
શાળામાં ઇન્સપેક્શન બાદ નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો ઉપરાંત તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત પણ સામેલ થયા હતા. ત્યારે અહીં સવાલ થાય છે કે
વિદ્યાના મંદિરમાં માંસાહારની પાર્ટી કેટલી યોગ્ય?
શિક્ષકો જ જો આવુ આચરણ કરશે તો વિદ્યાર્થીઓને શું શીખવશે?
વિદ્યાર્થીઓને માંસાહાર ખવડાવવાનો આગ્રહ કરતા શરમ નથી આવતી?
તાલુકા શિક્ષણ અધિકારી પણ આ મિજબાનીમાં કેમ સામેલ થયા?
શાળામાં ઈન્સ્પેકશનના નામે આવા ધતિંગ જ ચાલે છે?
સમાજની આસ્થાનો કોઈ ખ્યાલ નહીં રાખવાનો?
શિક્ષણાધિકારી કે શિક્ષણમંત્રી આ મુદ્દે નક્કર પગલા લેશે?