જામનગરની કોવિડ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દીઓને ઓક્સિજન ન આપવાની ફરિયાદ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલના ગેટ પાસે બે દર્દીઓની સ્થિતિ ખરાબ છે.
ઓક્સિજનની ઉણપની ફરિયાદો વચ્ચે વીડિયો વાયરલ
કોવિડ હોસ્પિટલના ગેટ પાસે બે દર્દીઓ બેહાલ હાલતમાં
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના દર્દીઓ બેહાલ
છતા પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી. મોટાભાગના મૃત્યુ ઓક્સિજનની ઉણપથી થતા હોવાની ફરિયાદ વચ્ચે પણ તંત્ર દ્વારા બેદરકારી કરવામાં આવી રહી છે. 20 હજાર લીટર ઓક્સિજન ટાંકી મંજૂર છતાં સ્થિતિ ઠેરની ઠેર જ છે.
દર્દીને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના રખાયો
વાયરલ વીડિયોમાં એક દર્દીને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના રખાયો છે. જેની સ્થિતિ ખરાબ છે. ત્યારે પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો છે કે 2 કલાકથી વધુ સમય થયો છતા પણ ઓક્સિજન નથી અપાયો.
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના જ દર્દીને લાવવામાં આવ્યા
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના જ દર્દીને લાવવામાં આવ્યા હતા. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વિના દર્દીઓને કેમ લવાય છે?. 20 હજાર લીટર ઓક્સિજન ટાંકી મંજૂર છતાં સ્થિતિ ખરાબ કેમ?. શું જામનગર સિવિલ તંત્રને દર્દીઓની કોઇ ચિંતા નથી?. મોટાભાગના મૃત્યુ ઓક્સિજનની ઉણપથી થતા હોવાની ફરિયાદ છતા બેદરકારી કેમ?.