અમદાવાદના ઈસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. કોર્પોરેટર પુલકિત વ્યાસે ગેરકાયદે બાંધકામને લઈને રૂપિયાની માગ કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને વિવાદ ઉભો થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં ગેરકાયદે બાંધકામ મામલે કોર્પોરેટ 2 લાખની લાંચ માગ કરતો હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની માગનો વીડિયો વાયરલ થતા કોર્પોરેટર સામે સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ મામલે કોર્પોરેટર પુલકિત વ્યાસ મૌન છે. મીડિયા સાથે વાતચીત કરવાનો પણ કોર્પોરેટરે ઈન્કાર કર્યો છે. જ્યારે પુલકિત વ્યાસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
VTVના સળગતા સવાલ:
લાંચિયા કોર્પોરેટર સામે કાર્યવાહી કેમ નહી?
કોર્પોરેટર સામે પક્ષ કેમ કાર્યવાહી કરતું નથી?
ગેરકાયદે બાંધકામને કેમ તોડાતું નથી?
કોર્પોરેટર બાંધકામને કાયદેસર કરવા માગે છે?
આ પ્રકારના કોર્પોરેટરને પક્ષ કેમ સાચવે છે?
વિવાદીત કોર્પોરેટર સામે કેમ કાર્યવાહી નહીં?
અત્યાર સુધી પક્ષે કેમ કાર્યવાહી કરી નથી?
આ પહેલાં જમવામા બીલને લઇને રૂઆબ બતાવ્યો હતો:
આ પહેલાં પણ કોર્પોરેટર પુલકિત વ્યાસ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે તેમણે જમવામા બીલને લઇને રૂઆબ બતાવ્યો હતો. જ્યારે પીએમ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરુદ્ધ પણ અપશબ્દો ભાંડ્યા હતા. પુલકિત વ્યાસ જમવા માટે ફાસ્ટફૂડની લારી ઉપર ગયા હતા. જ્યાં જમવાનું બિલ રૂ. 470નું થયું હતું. તો પુલકિતે રૂ. 400 ચૂકવવાનું જણાવ્યું હતું, વેપારી કોર્પોરેટરની વાતથી અસહમત થતાં કોર્પોરેટર પોતાના રૂઆબમાં આવી ગયા હતા અને વેપારી સાથે અસભ્ય વર્તન ઉપર ઉતરી આવ્યા હતા તથા પીએમ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરુદ્ધ પણ અપશબ્દો ભાંડ્યા હતા.