નવસારી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સતત વધી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કન્સ્ટ્રકશનનું કામ કરતાં આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
નવસારી જિલ્લામાં વધ્યો વ્યાજખોરોનો ત્રાસ
કન્સ્ટ્રકશનનું કામ કરતાં આધેડે આપઘાતનો કર્યો પ્રયાસ
આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં આધેડે વીડિયો બનાવ્યો
આધેડે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વીડિયો બનાવી અને તેની વેદન વ્યક્ત કરી હતી. વીડિયો બનાવી અને આધેડે આપઘાત કરવાની કોશિશ કરી. હાલ આધેડ સારવાર માટે હોસ્પિટલમાં છે. હાલ વિજલપોર પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે.
આધેડ પાસે 25 લાખની કરી હતી માગણી
દિપક શર્મા, ગીરીરાજ શર્માએ આધેડ પાસે 25 લાખની માગણી કરી હતી. અને પૈસા ન ચૂકવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
ક્યારે થશે વ્યાજખોરો સામે કાર્યવાહી ? ઉઠ્યા અનેક સવાલ
પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે વ્યાજખોરો પર લગામ ક્યારે લાગશે?. શું વ્યાજખોરોને પોલીસનો કોઇ ડર જ નથી?. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત વધી રહ્યા છે છતા કેમ કાર્યવાહી નહીં?. રોજ આવા મામલાઓ સામે આવે છે છતા પોલીસ શું કરે છે?. 1 હજાર રૂપિયા આપી 1 લાખ રૂપિયા લેનારા લોકો પર કાર્યવાહી ક્યારે થશે?.