બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:28 AM, 10 May 2025
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ચાહકો ઘણા સમયથી દયાબેનના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2018 માં શો છોડી દીધો હતો. ત્યારથી દિશા વાકાણી પાછા ફર્યા નથી કે ના નિર્માતાઓએ દયાબેન તરીકે તેની જગ્યાએ બીજા કોઈને લાવ્યા છે. જોકે નિર્માતા અસિત મોદી વારંવાર કહેતા રહ્યા કે દયાબેન શોમાં પાછા ફરશે. થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે અસિત મોદીએ દયાબેનના રોલ માટે એક અભિનેત્રી શોધી કાઢી છે અને તેમણે મોક શૂટ પણ શરૂ કરી દીધો છે. પરંતુ તે સમાચાર પણ પાછળથી ખોટ હોવાનું સામે આવ્યું હતું. તે પછી કોઈ અપડેટ નથી. આ દરમિયાન 'તારક મહેતા'નો એક પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 'દયાબેન' દિશા વાકાણી જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આ વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક નવી દયાબેન આવી છે અને આ આગામી એપિસોડનો પ્રોમો છે. આ પ્રોમો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બેકગ્રાઉન્ડમાં 'હે જી રે' સંગીત વાગી રહ્યું છે અને દયાબેનના ગેટઅપમાં એક મહિલા કારમાં બેસીને ફોન પર વાત કરી રહી છે.
ADVERTISEMENT
દયાબેનનો વીડિયો વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર @jetha_co_ji નામના એકઉઆન્ત પર શેર કરવામાં આવ્યો છે. અને જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે "દયા ઈઝ બેક - એપિસોડ નંબર-4395"
જો કે આ વીડિયો કેટલો સાચો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ માત્ર એક વાયરલ વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.
દયાબેનનો નવો પ્રોમો AI જનરેટેડ
હાલ જે દયાબેનનો વીડિયો વાયરલ થયો છે, તે AI જનરેટેડ છે. આ રીઅલ વીડિયો નથી. કે ના દિશા વાકાણી શો માં પરત ફરી રહ્યા છે. આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પ્રોમો શેર કરવામાં આવ્યો છે તેને પણ લોકો તરફથી ઘણી ટિપ્પણીઓ મળી રહી છે કે તે નકલી છે. નિર્માતાઓએ પણ તેમના તરફથી દયાબેન વિશે કંઈપણ પુષ્ટિ આપી નથી. આવો કોઈ સત્તાવાર પ્રોમો પણ બહાર પાડવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: ‘મારે કોઈ લેવાદેવા નથી...’, ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હીના ખાને કરી એવી પોસ્ટ, વાયરલ થતા જ ચર્ચાનો વિષય
દયાબેનની વાપસી અને દિશા વાકાણી વિશે અસિત મોદી
થોડા મહિના પહેલા શો ના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દિશા વાકાણી હવે દયાબેનની ભૂમિકામાં શોમાં પાછા ફરશે નહીં. લગ્ન પછી તે ઘર અને બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે અને તેનું જીવન ઘણું બદલાઈ ગયું છે. ઉપરાંત અસિત મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કદાચ કોઈ દિવસ કોઈ ચમત્કાર થશે અને દિશા વાકાણી 'તારક મહેતા'માં પાછા ફરશે. અસિત મોદીએ એમ પણ કહ્યું હતું કે જો તે પાછી નહીં ફરે તો શોમાં દયાબેન તરીકે બીજી અભિનેત્રી લાવવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.