દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે અલગ અલગ રીતો અપનાવવામાં આવી રહી છે. ત્યાં જ મેરઠમાં એક બીજેપી નેતા શહેરમાં ફરી ધુમાડાથી સારવાર કરવાની પદ્ધતિ વિશે લોકોને જાગૃત કર્યા છે.
ભાજપ નેતા ગોપાલ શર્માએ શહેરમાં ફરી ફરીને ધુમાડાથી સારવાર પદ્ધતિ વિષે લોકોને જાગૃત કર્યા છે. હવન કુંડમાં ખાસ ઓષધિ નાખીને તેને મેરઠના શિવપુરમ અને નઈ બસ્તી ક્ષેત્રમાં ફેરવ્યો. વિસ્તારના લોકો પાસે પણ હવન કુંડમાં સામગ્રી નખાવી. તેમનું કહેવું છે કે શંખનાદથી વાયુમંડળમાં વ્યાપ્ત વાયરસને ખતમ કરવામાં આવી શકે છે. સાથે જ ઓષધિ યુક્ત સામગ્રીથી ઉઠતો ધુમાડો પણ વાતાવરણને શુદ્ઘ કરે છે. ગોપાલ શર્માએ કહ્યું કે શંખની ધ્વનિ અને હવાનના ધુમાડાથી વાયુમંડળમાં ઓક્સિજનનો સંચાર પણ વધશે. વાયુમંડળમાં ફેલાયેલો વાયરસ ખતમ થઈ જશે. તેમણે જણાવ્યું કે આમ કરવાથી કોરોના સંક્રમણથી મુક્તિ મળશે.
લોકો ઘરમાં હવન કરે તો વાયરસનો અંત આવશે
ગોપાલ શર્માએ કહ્યું કે વાયુમંડળમાં શરીરને નુકસાન પહોંચાડનાર વાયરસ વધી રહ્યા છે. એવામાં ઓક્સિજનનું સ્તર ઓછું થઈ રહ્યું છે. જેના કારણે સતત લોકોની અંદર ઓક્સિજન લેવલ ઘટતું રહે છે અને લોકો બિમારીની ઝપટમાં આવી રહ્યા છે. તેમણે કહ્યું મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન લેવા માટે ફેક્ટરીઓ તરફ દોડી રહ્યા છે. જો દરેક લોકો પોત પોતાના ઘરોમાં હવન કરે તો આ વાયરસનો અંત આવી શકે છે.
આના કારણે વાયુમંડળમાં ઓક્સિજનનું સ્તર વધશે અને લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી નહીં થાય
તેમણે કહ્યું કે વાયુમંડળમાં ઓક્સિજનનું સ્તર પણ વધશે અને લોકોને શ્વાસ લેવામાં સમસ્યા નહીં થાય. ત્યાર બાદ લોકો બિમાર પણ નહીં થાય. ત્યાં જ બિજેપી નેતા ગોપાલ શર્માએ પોતાનો વીડિયો જાતે જ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં તે હવન સામગ્રીનો ધુમાડો ફેરવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી આ વીડિયોને ઘણા લોકોએ જોઈ લીધો છે.
આ પહેલા સાધ્વી પ્રજ્ઞા અને BJP સાંસદ સુખવીર સિંહ જોનપુરિયાના નિવેદનો પર થયો હતો વિવાદ
તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ સાધ્વ પ્રજ્ઞાના નિવેદનના કારણે વિવાદ થયો હતો. તેમણે કહ્યું હતું કે ગૌમૂત્ર પીવાના કારણે કોરોના સંક્રમણ નથી થયું. આ ઉપરાંત બીજેપીના સાંસદ સુખવીર સિંહ જોનપુરિયા પર પણ વિવિદ વકર્યો હતો. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે કિચડમાં બેસીને શંખ વગાડી રહ્યા છે. તે વીડિયોમાં તેમણે દાવો કર્યો છે હતો કે કિચડમાં નહાવાના કારણે ઈમ્યૂનિટી વધે છે.