સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક ચોંકાવનારો મેસેજ.વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રતિબંધિત દવા વેચાઈ રહી છે.તેમજ આ દવાનો ઉપયોગ કરવાથી ગર્ભાશયનું કેન્સર પણ થઈ શકે છે. ત્યારે શું છે આ મેસેજની હીકકત તે જાણવાનો પ્રયાસ vtvની ટિમ દ્વારા કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા જે મેસેજની વાત કરીશું તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવા લેવાથી ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે.વાયરલ મેસેજમાં દવાની તસવીર પણ આપી છે. આ દવા ઈન્જેક્શનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.જે ગર્ભનિરોધક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.ત્યારે વાયરલ મેસેજ સાચો છે કે નહીં તે જાણવું જરૂરી છે.
આપને જણાવી દઈએ કે ભારતમાં ઘણી ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ ચાલી રહ્યું છે.જેમાં અમુક ગોળીઓ મોટાભાગની યુવતીઓ ટીવી પર જાહેરાત જોઈને લઈ લેતી હોય છે.પરંતુ આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. અને ત્યારે જ આ મેસેજ વાયરલ થતા ઘણા લોકોની ચિંતા વધી ગઈ છે.ચિંતા એટલા માટે કારણ કે જેમણે ઉતાવળે આ દવાનો ઉપયોગ કર્યો હશે તો શું તેમને નુકસાન થઈ શકે છે..?
આખરે વાયરલ મેસેજની તપાસ હાથ ધરવામાં આવી.અમારા સંવાદદાતાએ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર એમ.સી.પટેલ સાથે મુલાકાત કરી અને તેમને વાયરલ મેસેજ વિશે જણાવ્યું.તો આ સાથે બજારમાં મળતા ઘણા ગર્ભનિરોધક ગોળીઓ વિશે પણ જાણવાનો પ્રયાસ કર્યો.
આ વાત સાચી છે કે ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભને ટાળવા અને માસિક નિયમત કરવા માટે પણ હોય છે.ગર્ભનિરોધક ગોળીઓ ઘણા પ્રકારની હોય છે પરંતુ દવાની ગુણવત્તા અલગ અલગ હોય છે. આમ ડોક્ટર એમ.સી.પટેલના જણાવ્યા અનુસાર ડોક્ટરની સલાહ મુજબ ગર્ભનિરોધક ગોળીઓ લેવી જોઈએ નહીંતર આડઅસર થઈ શકે છે. તો આ સાથે ડોક્ટરે ગર્ભવતી મહિલાને એક સલાહ પણ આપી હતી કે સગર્ભાવસ્થા અનિચ્છનિય હોય ત્યારે સ્ત્રીરોગના ડોક્ટરને મળવું આપમેળે દવા લઈ ગર્ભપાત કરાવવો એ સલાહ ભરેલું નથી.આવા સંજોગોમાં મુશ્કેલી વધી શકે દર્દીનો જીવ પણ જઈ શકે છે.
આમ જે લોકો ગર્ભાવસ્થા ઈચ્છતા ન હોય તેમણે સૌ પ્રથમ તો ડોક્ટરની સલાહ લેવી અને ત્યારબાદ દર્દીને કોઈ બીમારી છે કે નહીં તેમજ તેમના શરીરને કઈ ગર્ભનિરોધક ગોળી ફાયદો કરશે.તે બાબતે સ્પષ્ટ માહિતી મેળવ્યા બાદ જ ડોક્ટર દવા આપે છે અને આ પદ્ધતિએ જ દવા લેવી હિતાવહ રહેશે.નહીંતર ઉતાવળે કોઈ નિર્ણય લઈને તમે તમારો જીવ પણ જોખમમાં મુકી શકો છો.