બે દિવસ પહેલાથી સોશ્યલ મિડીયા પર એક અફવા ચાલી રહી છે કે રિયાએ CBIને કો-ઓપરેટ ન કરતા મહિલા અધિકારીએ રિયાને થપ્પડ મારી દીધો હતો. જે સમાચારથી સોશ્યમ મિડીયા પર લોકો ખુબ ખુશ છે. નુપુર શર્મા નામની અધિકારીએ રિયાને તમાચો મારી દેવાની ઘટના સામે આવી છે.
રિયા ચક્રવર્તીને માર્યો મહિલા અધિકારીએ તમાચો
સીબીઆઇને કોઓપરેટ ન કરતા ભરાયુ પગલુ
સોશ્યલ મિડીયા પર ચાલી રહી છે ઘટનાની ચર્ચા
આ અફવા ક્યાંથી શરૂ થઇ તે વાતને લઇને કોઇ ખુલાસો થયો નથી. સુશાંતના ફેન્સ આ અફવા બાદ ઘણા ખુશ અને ઉત્સાહી છે. બહુ તપાસ કર્યા બાદ ખબર પડી કે કોઇ લોકલ ન્યૂઝ ચેનલ દ્વારા આ અફવાને ન્યૂઝ બનાવીને બતાવવામાં આવી હતી. જે બાદ સોશ્યલ મિડીયા પર પવનવેગે આ વાત ફેલાઇ ગઇ હતી.
એક IPS અધિકારી નૂપુરની યુનિફોર્મમાં તસવીર રિયા સાથે જોવા મળે છે. સુશાંત કેસમાં રિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારની અફવા સત્ય છે કે ખોટી તે જાણવા માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું.
જો કે, રિસર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ વાત માત્ર એક અફવા છે સત્ય નહી. રિયાની પૂછપરછ કરવામાં આવી અને તેણે કો-ઓપરેટ ન કર્યુ બાદમાં તેને તમાચો લગાવવામાં આવ્યો તે વાત સાવ ખોટી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રિયા તરફથી પણ કોઇ પ્રકારનુ નિવેદન આવ્યુ નથી.