બિહારના ભાગલપુર જિલ્લામાં વાયરલ ફીવરનો પ્રકોપ વધ્યો છે.
બાળ રોગ ઓપીડીમાં 74 બિમાર બાળકો સારવાર માટે પહોંચ્યા હતા
50 ટકાથી વધારે બાળકો વાયરલના દર્દીઓ નીકળ્યા
એસએનસીયૂથી લઈને બાળકોના વોર્ડના તમામ બેડ ફૂલ
50 ટકાથી વધારે બાળકો વાયરલના દર્દીઓ નીકળ્યા
શુક્રવારે માયાગંજ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા બાળકોમાંથી 50 ટકાથી વધારે બાળકો વાયરલના દર્દીઓ નીકળ્યા હતા. બાળ રોગ ઓપીડીમાં 74 બિમાર બાળકો સારવાર માટે પહોંચ્યા હતા. જેમાંથી 43 બાળકોને વાયરલ ફીવર હતો. આ બાળકોને શરદી, ખાંસી અને ભારે તાવ હતો. જો કે ઓપીડીમાં બેઠેલા ડોક્ટરોએ આ બાળકોને દાખલ કરવાની જગ્યાએ દવા અન સલાહ આપી ઘરે મોડલી દીધા. માયાગંજ હોસ્પિટલમાં ઈમરજન્સી સ્થિત બાળ વોર્ડના 10 બેડ સવારે 10 વાગ્યે ફુલ થઈ ગયા પરંતુ એ બાદ તેમને પીજી બાળ વોર્ડમા શિફ્ટ કરતા જગ્યા ખાલી થઈ અને સાંજે 5 વાગ્યા સુધીમાં 14 નવા દર્દી દાખલ થયા હતા.
એસએનસીયૂથી લઈને બાળકોના વોર્ડના તમામ બેડ ફૂલ
બિમાર બાળકોની વધતી સંખ્યા હોસ્પિટલની વધતી સિસ્ટમની પોલ ખોલવા તરફ વધી રહી છે. શુક્રવારે પીજી શિશુ રોગ વિભાગના 60 બેડના સામાન્ય વોર્ડના 53 દર્દી દાખલ થયા હતા. 12 તથા 24 બેડના બન્ને એસએનસીયૂ ફુલ થઈ ગયા હતા. જનરલ વોર્ડમાં 7 બિમાર બાળકો હતા જેમાંથી એસએનસીયૂની જરુર હતી. પણ બેડ ન હોવાના કારણે સામાન્ય વોર્ડમાં દાખલ થઈ એસએનસીયૂમાં બેડ માટે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે એમસીએચમાં 10 તો શિશુ વિભાગના ઈન્ડોર બેડમાં 20 બેડના પીકુમાં એક જ દર્દી હતો. ત્યારે 10 બેડના શિશુ વિભાગમાં 14 દર્દી દાખલ હતા.
હાલ હવામાનમાં ફેરફારને કારણે બાળકોને સમસ્યા થઈ રહી છે
માયાગંજ હોસ્પિટલના અધિક્ષત ડો. અસીમ કુમાર દાસે કહ્યું કે હાલ હવામાનમાં ઉતાર ચઢાવ તથા ફેરફારનો દોર ચાલી રહ્યો છે. તેવામાં એલર્જી, વાયરલ ફીવર તથા ડેગ્યૂની બિમારી વધશે. હોસ્પિટલમાં જે કંઈ પણ સંસાધન હાજર છે તેમની સારવાર બિમાર બાળકો માટે કરવામાં આવી રહી છે. અહીં સારવાર માટે આવનારા કોઈ પણ બિમાર બાળકોને કોઈ સમસ્યા આવવા નહીં દઈએ.