ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાયરલ તાવનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હોસ્પિટલોમાં સ્થિતી એવી છે કે એકજ બેડ પર બે બાળકોનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
UP અને MPમાં વાયરલ તાવનો હાહાકાર
એકજ બેડ પર બે બાળકોનો ઈલાજ
તબીબો પણ નથી શોધી શકતા તાવનો ઈલાજ
ઉત્તરપ્રદેશના ફિરોજાબાદમાં એકાએક લોકોમાં તાવની બિમારી ફેલાાઈ અને હવે આ બિમારી મધ્યપ્રદેશ અને બિહારના લોકોમાં પણ જોવા મળી રહી છે. બિહારમાં તો કોરોનાને કારણે હોસ્પિટલો ફુલ થઈ ગયા છે. અહીયા એકજ બેડ પર બે બાળકોના ઈલજ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગ્વાલિયરમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
90 લોકોના ભયંકર તાવને કારણે મોત
જો ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો ઘણા જિલ્લાઓમાં લોકો તાવની ઝપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 90 લોકોના આ ભયંકર તાવને કારણે મોત થયા છે. ફિરોજાબાદમાં અત્યાર સુધીમાં તાવને કારણે 55 લોકોના મોત થયા છે. જેમા મોટા ભાગે બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
UPના 8 જિલ્લાઓમાં વાયરલ તાવનો હાહાકાર
આ રહસ્યમય તાવનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરપ્રદેશના 8 જિલ્લાઓમાં વાયરલ બિમારી જેવો તાવ ફેલાતો જઈ રહ્યો છે. જેના કારણે લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.
તબીબો પાસે પણ કોઈ ઈલાજ નથી
કાસગંજથી લઈને એટા, મથુરાથી લઈને ફિરોજાબાજ અને મેરઠથી લઈને પ્રયાગરાજ તેમજ વારણાસીથી લઈને ફરુખાબાદ સુધી બાળકોમાં તેમ અન્ય લોકોમાં આ તાવ જોવા મલી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે. પરંતુ તબીબો પાસે તેનો કોઈ ઈલાજ નથી.
સ્વાસ્થ્ય વિભાગે ટીમો મકલાવનું શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે પરિસ્થિતીને ધ્યાનમા રાખીને સ્વાસ્થ્ય વિભાગે ગામે ગામ તેમની ટીમો મોકલવાનું શરૂ કર્યું છે. પરંતુ વધતા જતા તાવના કહેરને લઈને હવે સરકાર તેમજ પ્રસાસનમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે આ વાયરલ તાવ અટકવાનું નામજ નથી લઈ રહ્યો.